તેમ્ભુરનીના સરપંચ યશોદાબાઈ પાટિલે જણાવ્યું કે ગામમાં પ્રવેશ કરનારે વેક્સીનનો એક ડોઝ તો લીધેલો હોવો જોઈએ.
આ ગામમાં વેક્સીન વગર પ્રવેશ નહીં
સરપંચે કરી જાહેરાત
ઓમિક્રોનના કારણે લીધો નિર્ણય
દેશમાં હાલ કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના નવા કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં પહેલા પણ કોરોના વાયરસ સંક્રમણના કેસ રેકોર્ડ સ્તર પર પહોંચી ચુક્યા છે. આ ખતરાને જોતા મહારાષ્ટ્રના એક ગામે અહીં એવા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે જેમણે કોરોના વેક્સીન ન લીધી હોય.
200 રૂપિયાનો દંડ
આમ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના હિમાયતપુર તાલુકામાં સ્થિત તેમ્ભુરની ગામે કર્યું છે. ગામમાં કોઈ પણ વેક્સીન લીધા વગરની વ્યક્તિના આવવા પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતે તેના માટે ગામના પ્રવેશને રસ્તો અને અન્ય જગ્યાઓ પર પોસ્ટર પણ લગાવ્યા છે. તેમાં આ સંબંધમાં સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. ત્યાં જ ગ્રામ પંચાયતની તરફથી પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ વગર વેક્સીન લગાયે ગામમાં ઘસે છે તો તેને 200 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે.
વેક્સીનનો એક ડોઝ લીધેલો હોવો જોઈએ
મીડિયા રિપોર્ટ અનુસાર તેમ્ભુરના સરપંચ યશોદાબાઈ પાટિલે જાણકારી આપી છે કે ગામમાં પ્રવેશ કરનારને ઓછામાં ઓછી વેક્સીનનો એક ડોઝ લગાવેલો હોવો જોઈએ. તે અનુસાર વેક્સીનના એક પણ ડોધ ન લગાવવા પર કોઈ પણ વ્યક્તિ ગામમાં નહીં ધુશી શકે.