મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે મોટો નિર્ણય લેતા ભીમા કોરેગાવ (Bhima Koregaon Case) અને મરાઠા આંદોલન (Maratha Andolan) થી જોડાયેલા ઘણા મામલાઓને પાછા લેવાનું એલાન કર્યું છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અનિલ દેશમુખે જાણકારી આપી છે કે ભીમા કોરેગામ કેસ સાથે જોડાયેલા કુલ 649 મામલાઓમાંથી 348 મામલા મહારાષ્ટ્ર સરકાર પાછા લઇ રહી છે.
મહારાષ્ટ્ર સરકારનો ભીમા કોરેગાવ અને મરાઠા આંદોલનને લઇને મોટો નિર્ણય
ભીમા કોરેગામ કેસ સાથે જોડાયેલા કુલ 649 મામલાઓમાંથી 348 મામલા મહારાષ્ટ્ર સરકારે પાછા લીધા
મરાઠા આંદોલનના કુલ 548 કેસમાંથી 460 મામલાઓને પણ સરકાર પાછા લેવાનું એલાન કર્યું
જ્યારે મરાઠા આંદોલનના કુલ 548 કેસમાંથી 460 મામલાઓને પણ સરકાર પાછા લેવાનું એલાન કર્યું છે.
નોંધનીય છે કે ભીમા કોરેગાવ તપાસ આયોગે 2018માં થયેલી હિંસા મામલામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારને સમન મોકલવાનો નિર્ણય કરાયો છે. ન્યાયિક પેનલના વકીલ આશીષ સતપુતે મુજબ આયોગના અધ્યક્ષ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) જેએન પટેલે ટિપ્પણી કરી હતી કે પવારે પેનલની સમક્ષ એફિડેવિટ દાખલ કર્યું છે, તેમને સમન મોકલવામાં આવશે. તેઓએ કહ્યું હતું, તેના માટે સમન જારી કરવામાં આવશે.
વકીલ મુજબ સુનાવણીના અંતિમ ચરણમાં આયોગ પવારને સમન મોકલી શકે છે. આ મહીનાની શરૂઆતમાં શિવસેના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે આયોગનું કાર્યકાળ 8 એપ્રિલ સુધી વધારી દીધું છે અને આયોગથી રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.
પુણે પોલીસ અનુસાર 31 ડિસેમ્બર 2017માં માઓવાદીઓના સમર્થનથી પૂણેમાં અલ્ગાર પરિષદના સમ્મેલનમાં ભડકાઉ ભાષણ આપવામાં આવ્યા હતા. જેના કારણે ત્યારબાદ ના દિવસે જિલ્લામાં કોરેગામ ભીમા યુદ્ધ સ્મારકમાં જાતીય હિંસા થઇ હતી. દક્ષિણપંથી જુથના નેતા મિલિંદ એકબોટે અને સંભાજી ભીડે કોરેગાવ ભીમા હિંસા મામલામાં આરોપી છે.