મહારાષ્ટ્રમાં કોરોનાને પગલે કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જો કે સેવાઓને લઈને લોકો કન્ઝ્યુઝ થઈ રહ્યા છે. ત્યારે જાણો શું ચાલુ અને શું બંધ
પ્રતિબંધ 1 મે સવારે 7 વાગ્યા સુધી અમલમાં રહેશે.
ઉદ્ધવ ઠાકરેનું બ્રેક ધ ચેન અભિયાન હેઠળ રાજ્યમાં 15 દિવસનું કડક કર્ફ્યૂ
મહારાષ્ટ્રમાં કલમ 144 લાગૂ થઈ ચૂકી છે
પ્રતિબંધ 1 મે સવારે 7 વાગ્યા સુધી અમલમાં રહેશે
અનિયંત્રિત કોરોના સંક્રમણથી મહારાષ્ટ્રની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. રોજના ડરાવના આંકડા સામે આવી રહ્યા છે. રાજ્યોમાં બુધવારે કોરોનાના 58, 952 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 278 દર્દીઓના મોત થયા છે. સંક્રમણની અનિયંત્રિત રફ્તાર ઓછી કરવા માટે રાજ્યમાં બુધવારે રાતે 8 વાગે સખત કર્ફ્યૂ લાગૂ કર્યુ છે . જે 1 મે સવારે 7 વાગ્યા સુધી અમલમાં રહેશે.
ઉદ્ધવ ઠાકરેનું બ્રેક ધ ચેન અભિયાન હેઠળ રાજ્યમાં 15 દિવસનું કડક કર્ફ્યૂ
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું બ્રેક ધ ચેન અભિયાન હેઠળ રાજ્યમાં 15 દિવસનું કડક કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં રાતના 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી મીની લોકડાઉન રહેશે. ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાતે સોશિયલ મીડિયાના માધ્યમંથી રાજ્યની જનતાને સંબોધનમાં જાહેરાત કરી હતી કે લોકોની આવનજાવન અને બિન જરુરી સેવાઓ પર પ્રતિબંધ લગાવશે.
મહારાષ્ટ્રમાં કલમ 144 લાગૂ થઈ ચૂકી છે
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કલમ 144 લાગૂ થઈ ચૂકી છે અને આ દરમિયાન ક્યાંય પણ ભીડ ભેગી થવા પર પ્રતિબંધ છે. આનો મતલબ રાજ્યમાં 5થી વઘારે લોકો સાર્વજનિક સ્થાનો પર ભેગા ન થઈ શકે. ત્યારે 5 અથવા આનાથી વધારે લોકોના એક સાથે પ્રવાસ પર પ્રતિબંધ છે. સાર્વજનિક સ્થાનો પર માસ્ત વગર નિકળવાર પર પ્રતિબંધ છે. જોકે સરકારી જરીર સેવાઓ ચાલૂ રહેશે.
જરુરી ગતિવિધિઓની મર્યાદામાં છે આ બાબતો
મહારાષ્ટ્રમાં કલક 144 લગાવી દેવાઈ છે. આવનારા 15 દિવસ માટે સમગ્ર રાજ્યમાં કારણ વગર ફરવુ પ્રતિબંધિત છે. કોઈ પણ વ્યક્તિને જરુરી કામ હોવા પર જ ઘરેથી નીકળી શકે છે.
મહારાષ્ટ્ર સરકારે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, કોરોના રસીકરણ, ઓક્સીઝનના પ્રોડક્શન, તમામ બેંક તથા નાણા સેવાઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને તેની સાથે જોડાયેલી ઓફિસો ખુલ્લી રહેશે.
જરુરી સેવાઓને છોડીને રાજ્યમાં બધુ જ બંધ રહેશે. લોકલ બસો સહિત પબ્લિક ટ્રાન્સપોર્ટના તમામ સાધનો ખુલ્લા રહેશે.
ઈ કોમર્સ અને પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. બેંકોમાં કામકાજ ચાલુ રહેશે. હોટલ ટેક અવે અને હોમ ડિલીવરી આપશે
જે કન્ટ્રક્શન સાઈટો પર કામગારોના રહેવાની વ્યવસ્થા કરવાની રહેશે ત્યાનું કામ ચાલૂ રહેશે.
વીમા ઓફિસ અને પ્રી મોનસૂન વર્ક ચાલૂ રહેશે.
રાજ્યમાં તે ઔદ્યોગિક ગતિવિધિઓ જારી રહેશે જ્યાં કર્મચારીઓના આવન જાવનની સુવિધાઓ પણ હોય.