વલસાડમાં ભારે વરસાદના પગલે ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યુ. ઔરંગા નદીમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધતા નદી કિનારાનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મોટા જાહેર રસ્તાઓની સાથે લોકોના ઘરમાં પણ પાણી ભરાયા. વલસાડના કાશ્મીરા નગરમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા. 100થી વધુ ઘરોમાં પાણી ઘુસી જતા પોલીસના જવાનો પહોંચ્યા હતા. અને લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.. ઔરંગા નદી કિનારાના પીચિગ, છીપવાડ, તરીયાવાડ, કૈલાસનગર અને લીલાપોર તથા કાંઠાના ગામોમાં પણ પાણી ભરાયાં હતાં..