હનુમાન ચાલીસાને મહાન કવિ તુલસીદાસજીએ લખેલ છે. તે પણ ભગવાન રામના ખુબ મોટા ભક્ત હતા અને હનુમાનજીને ખુબ માનતા પણ હતા. ચાલીસ પદોની બનેલી હોવાને કારણે ચાલીસા કહેવાય છે. જો કોઈપણ તેનો પાઠ કરે છે તો તેને ચાલીસા પાઠ કહેવામાં આવે છે. આમાં રામભક્ત હનુમાનની સ્તુતિ કરવામાં આવી છે જેને કારણે ભારતમાં હનુમાન ભક્તો પોતાના આરાધ્ય દેવની સ્તુતિમાં તેનું ગાન કરે છે. ગુજરાતમાં શનિવાર અને ઉત્તર ભારતમાં મંગળવારને હનુમાનજીનો વાર ગણવામાં આવે છે, માટે આ દિવસોએ ખાસ કરીને લોકો સમૂહમાં હનુમાન ચાલીસાનાં પાઠ પણ ગોઠવતાં હોય છે. હિન્દુ ધર્મમાં હનુમાન ચાલીસાનું ખુબ જ મહત્વ રહ્યું છે. આજે અમે તમને હનુમાન ચાલીસાના ખાસ મહત્વ વિશે જ જણાવીશું.
હનુમાન ચાલીસાનું વાંચન મંગળવાર અને શનિવારે કરવાથી બહુ શુભ હોય છે
ઔરંગઝેબે જયારે તુલસીદાસને બંદી બનાવ્યા ત્યારે તુલસીદાસે કરી હનુમાન ચાલીસાની રચના
જેના પર હનુમાનજીની કૃપા થાય છે તેનું આ કળિયુગમાં કોઈ બગાડી શકતું નથી
હનુમાન ચાલીસા છે લાખ દુ:ખોની એક દવા. જેમના બળની સરખામણી કોઈની પણ સાથે કરવાનું શક્ય નથી. જેમણે બાહુબલી ભીમનો ઘમંડ તોડ્યો અને જેમણે મહારથી અર્જુનના રથના રક્ષણનો ભાર સંભાળ્યો. જે ભગવાન શ્રીરામના આદર્શ સેવક રહ્યાં અને સૂર્ય ભગવાનને ગળી જવાનું સાહસ કરનાર હનુમાનજી પોતાના ભક્તોના કષ્ટ હરનારા છે. તેમની આરાધનાની અનેક રીતો છે જેને અપનાવીને તમે મનવાંછીત ફળ મેળવી શકો છો.
હનુમાન ચાલીસામાં જ તેમની આરાધનાની સાચી રીત જોવા મળે છે. ગોસ્વામી તુલસીદાસ રચિત હનુમાન ચાલીસામાં જીવન ઉત્થાનનું રહસ્ય છુપાયેલું છે. હનુમાન ચાલીસામાં મંત્ર નહીં બજરંગબલીની વિશેષતાઓનું વર્ણન આપ્યું છે. હનુમાન ચાલીસાનું વાંચન મંગળવાર અને શનિવારે કરવાથી બહુ શુભ હોય છે. હનુમાન ચાલીસાની કેટલીક ચોપાઈઓનું વાચન કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. આ ચાલીસાની અમુક ચોપાઈ એટલી શક્તિશાળી છે કે તે આપણામાં શક્તિ, બુદ્ધિ ચાતુર્ય, ખુશી, શાંતિ અને પોઝિટિવ એનર્જીનો સંચાર કરી શકે છે. જાણો હનુમાન ચાલીસાના નિયમિત જાપથી કેવા અદભૂત ફાયદા થાય છે.
હનુમાન ચાલીસામાં ભગવાન હનુમાનજીના જીવનનો સાર છુપાયેલો છે જેને વાંચવા પર જ જીવનમાં પ્રેરણા મળે છે. આ માત્ર તુલસીદાસના વિચાર નથી પણ તેઓનો અતૂટ વિશ્વાસ છે. તેઓના આ જ વિશ્વાસ ને લીધે ઓરંગઝેબે તેમને બંદી બનાવી લીધો હતો, ત્યાં જ બેસીને તેમણે હનુમાન ચાલીસાને લખી હતી. હનુમાન ચાલીસા કરવાથી હનુમાનજી અચૂક પ્રસન્ન થાય છે. જેના પર હનુમાનજીની કૃપા થાય છે તેનું આ કળિયુગમાં કોઈ બગાડી શકતું નથી. પછી તે ગ્રહપીડા હોય તે દેવપીડા કે પછી પિતૃપીડા જ કેમ ન હોય. એવું કહેવાય છે કે જો હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો સૌથી પહેલા તેમના પ્રભુ શ્રીરામને પ્રસન્ન કરવા જોઇએ. તેથી સૌથી પહેલા શ્રીરામનું નામ લો. પછી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો. હનુમાન ચાલીસા ક્યારેય મનમાં બોલવાને બદલે મોટેથી બોલવી જોઈએ. આ ઉપરાંત તેના ઉચ્ચારણ પણ સ્પષ્ટ બોલવા જોઈએ.
ક્યારે વાંચવી હનુમાન ચાલીસા:
કહેવાય છે કે હનુમાન ચાલીસાને ડર, ભય, સંકટ કે વિપત્તિ આવવા પર વાંચવાથી દરેક કષ્ટો દૂર થઇ જાય છે. જો કોઈ વ્યક્તિ પર શનિનું સંકટ છવાયેલ છે તો વ્યક્તિને હનુમાન ચાલીસા વાંચવી જોઈએ, જેનાથી તેઓના જીવનમાં શાંતિ આવે છે.
જો કોઈ વ્યક્તિને ખરાબ શક્તિઓ પરેશાન કરે છે તો તેઓને ચાલીસા વાંચવાથી મુક્તિ મળી જાય છે.
કોઈપણ અપરાધ કરવા પર જો તમને અફસોસ થઇ રહ્યો છે અને ક્ષમા માંગવા માગો છો તો ચાલીસાનો પાઠ કરો.
ભગવાન ગણેશની જેમ હનુમાનજી દાદા પણ કષ્ટહર્તા માનવામાં આવે છે. એવામાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ લાભ મળે છે.
હનુમાન ચાલીસા વાંચવાથી મન શાંત રહે છે અને તણાવ મુક્ત થઇ જાય છે.
સુરક્ષિત યાત્રા માટે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરો. તેનાથી લાભ મળે છે અને મનમાંથી બીક પણ દૂર થઇ જશે.
કોઈપણ પ્રકારની ઈચ્છા હોવા પર ભગવાન હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી લાભ મળે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દૈવીય શક્તિ મળે છે, જેનાથી શુકુન અને શાંતિ મળે છે.
હનુમાનજી બુદ્ધિ અને બળના ઈશ્વર છે, તેનો પાઠ કરવાથી આ બંને લાભ પ્રાપ્ત થાય છે.
વ્યક્તિને સદ્દબુદ્ધિ આપવા માટે પણ જરૂરી છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કઠિનમાં કઠીન વ્યક્તિનું મન પણ સારું થઇ જાય છે.
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી એકતાની ભાવનામાં વિકાસ થાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મક ભાવનાઓ દૂર થઇ જાય છે અને મનમાં સકારાત્મકતા આવે છે.