સ્થાનિક લોકોએ આજે સવારે 2.45 વાગ્યે જિલ્લાના સરખેત ગામમાં વાદળ ફાટવાની માહિતી આપી હતી. માહિતી મળતાં જ રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ગામમાં ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા
ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદ વચ્ચે દેહરાદૂનમાં વાદળ ફાટ્યું
દેહરાદૂન જિલ્લાના રાયપુરમાં શનિવારે વહેલી સવારે વાદળ ફાટ્યું
ગામમાં ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા
ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના રાયપુરમાં શનિવારે વહેલી સવારે વાદળ ફાટવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ આજે સવારે 2.45 વાગ્યે જિલ્લાના સરખેત ગામમાં વાદળ ફાટવાની માહિતી આપી હતી. માહિતી મળતાં જ રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગામમાં ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કેટલાકે નજીકના રિસોર્ટમાં આશ્રય લીધો હોવાનું ટીમે જણાવ્યું હતું.
દેહરાદૂન જિલ્લાના રાયપુર બ્લોકમાં શનિવારે વહેલી સવારે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. ગઈકાલથી અવિરત વરસાદને કારણે, દેહરાદૂનના પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે વહેતી તમસા નદીમાં વધારો થયો છે, જેના કારણે માતા વૈષ્ણો દેવી ગુફા યોગ મંદિર અને ટપકેશ્વર મહાદેવ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. મંદિરના સ્થાપક આચાર્ય બિપિન જોશીએ જણાવ્યું હતું કે, ભગવાનની કૃપા, કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
આ દરમ્યાન ભારે વરસાદને કારણે,આજે સવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરમાં માતા વૈષ્ણો દેવી મંદિર વિસ્તાર નજીક અચાનક પૂર આવ્યું. ભારે વરસાદ અને અચાનક પૂરને જોતા માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની અવરજવર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે. જોકે બાદમાં વૈષ્ણો દેવી યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી હતી.
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં અવિરત વરસાદને કારણે શનિવારે શાળાઓ બંધ રહેશે. વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. જિલ્લા ડેપ્યુટી કમિશનર કમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અરિંદમ ચૌધરીએ શુક્રવારે સાંજે જાહેરકરેલા આદેશમાં જણાવ્યું હતું કે, મંડીમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ અને આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને 20 ઓગસ્ટના રોજ મંડીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મંડી જિલ્લાની કોલેજો અને ITI સિવાય તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.