રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક કાકીએ પોતાની ભત્રીજીને ઘરકંકાસનો વેર રાખી દસતો મારી કરી હત્યા, માસૂમ આયુષીને અગાસી પર લઈ જઈ દસ્તાના ઘા મારી લોહીથી લથપથ કરી દીધી હતી
સગી કાકીએ દેરાણી સાથે વેર રાખીને ભત્રીજીની કરી દીધી હત્યા
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક કાકીએ પોતાની ભત્રીજીને ઘરકંકાસનો વેર રાખી દસતો મારી હત્યા કરી નાખી છે. એક માસૂમ બાળકીને અગાસી પર લઈ જઈ દસ્તાના ઘા મારી લોહીથી લથપથ કરી દીધી હતી. સમગ્ર ઘટના 8 જૂનના દિવસની છે. ઉપલેટા શહેરના લેઉવા પટેલ સમાજ સામેની સર્વોદય સોસાયટીમાં રહેતા નિમાવત પરીવારના ઘરકંકાસનો ભોગ 10 વર્ષની આયુષી બની છે.
ઉપલેટા સર્વોદય સોસાયટીમાં નિમાવત પરિવાર રહે છે. પરિવારમાં ચેતનભાઈ નિમાવત તેના પત્ની કિરણ બેન અને તેની બે દીકરીઓ છે. જેમાં એક 14 વર્ષની અંકિતા (નામ બદલ્યું છે) અને બીજી 10 વર્ષની દીકરી આયુષી હતી. આ પરિવારમાં ચેતનના ભાઈ મયુર અને તેની પત્ની વંદના પણ રહે છે. તેમના બે દીકરામાં 13 વર્ષનો અક્ષય અને 8 વર્ષનો રાહુલ (નામ બદલ્યું છે) રહે છે.
શા માટે કિરણે આયુષી હત્યા કરી
નિમાવત પરિવારમાં કિરણ અને તેની દેરાણી વંદના વચ્ચે અવારનવાર ઝઘડા ચાલતા હતા. સાથે સાથે આયુષી અને તેનો ભત્રીજો મંત્ર વચ્ચે પણ ઝઘડા થતા હતા. તો વંદનાનો મોબાઈલ પણ કિરણે લઈને વાપરતી હતી. આ કારણે મૃતક આયુષીની કાકી વંદનાને ખાર હતો. તો 8 જૂને મોકો જોઈને આયુષીને અગાસી પર લઈ જવા કહ્યું કે, ચાલ હું તને એક વસ્તું દેખાડું. આયુષીની કાકી વંદના તેને અગાસી પર લઈ ગઈ હતી. સાથે એક ચાદર અને દસ્તો પણ રાખ્યો હતો. પહેલા આયુષીને કહ્યું કે, આ ચાદર પર સૂઈ જા. બાળકીએ જેવી ચાદર પર સૂઈ ગઈ તો, તેને દસ્તાના ઘા માર્યા હતા. અને બાળકીના માથાના એકદમ વચ્ચેના ભાગે પણ દસ્તાના ઘા માર્યા હતા. બાળકીને ઘા મારતા લોહીના ફૂવારા છૂટ્યા હતા. જે બાદ બાળકીને અગાસીના પગથિયા પર ઘા કરી દીધી હતી. અને નીચે આવી નાટક શરૂ કરી દીધા હતા. અને બૂમો પાડી તેની માતાને એવું દેખાડવાની કોશિશ કરી કે, તે પડી ગઈ છે.
10 વર્ષની મૃતક આયુષીની માતાએ જણાવી સમગ્ર ઘટના
ચેતન અને મયુર બંને સાથે શહેરમાં સાબુની શોપ ચલાવે છે અને આ રીતે જ પોતાની રોજીરોટીની કમાણી કરે છે. નિમાવત પરીવારમાં જે 10 વર્ષની આયુષીએ પોતાનો જીવ ગુમાવ્યો તે અંગે તેમની માતાએ આપવીતી જણાવી છે. મૃતકની માતાએ કહ્યું કે, ગત 8 તારીખે મારી દેરાણી બપોરે જમીને અમારા મકાનના ઉપરના ભાગે તેના રૂમમાં ચાલ્યા ગયા હતા. થોડીવાર પછી જમીને હું પણ મારા રૂમની બહાર હોલમાં tv જોતી હતી. બપોરે અઢી વાગ્યે મારા ભત્રીજા માનવ અને કાવ્યના ઓનલાઈન કલાસ શરૂ હોવાથી તેઓ ઓનલાઈન ભણતા હતા. થોડીવાર પછી આયુષી અને તેની કીરણ તેના રૂમમાં ગયા હતા. થોડીવાર પછી મારી દીકરી બહાર હોલમાં TV રાખ્યું ત્યાં પહોંચી હતી. અને જતાં-જતાં મારા રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. હું સેટી ઉપર સુઈ ગઈ હતી.
જે બાદ આશરે 4: 30 વાગ્યે મારી દેરાણી મારા રૂમનો દરવાજો ખોલીને બૂમો પાડી રહ્યા હતા. અને મને નિંદરમાંથી જગાવીને ઈશારાથી કંઈક જોવાનું કહ્યું હતું. મેં ઉભા થઇને જોયું તો, મારી દીકરી આયુષી લોહી લુહાણ હાલતમાં સીડીના પગથિયાં પર પડી હતી. મારી દેરાણી વંદનાની ચીસો સાંભળીને મારી દીકરી કાવ્યા અને ભત્રીજો માનવ પણ બહાર આવ્યા હતા. મારી દીકરીને જોતા આયુષીનું માથું વચ્ચેના ભાગેથી ફાટી ગયું હતું અને લોહી લુહાણ હતું. મારી દેરાણી વંદનાએ તરત જ આયુસીને બાથમાં લઈને ફળિયામાં પહોંચી હતી. મેં મારી ડેલી ખોલીને રાડો પાડી કે, કોઈ દવાખાને લઈને મારી દિકરીને બચાવો. સામે રહેતો જય નામનો વ્યક્તિ ઘરે આવ્યો ત્યારે મારી દેરાણી જયના એક્ટિવામાં ડૉકટર કનસાગરાની ક્રિષ્ના હોસ્પિટલમાં લઇ ગયા હતા. પાછળ પાછળ હું પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. મેં રસ્તામાંથી મારા પતિ ચેતન અને મારા દિયર મયુરને ફોન કર્યો અને બંને ભાઈઓને હોસ્પિટલ જ બોલાવી લીધા હતા. પરંતુ ડૉક્ટરે આયુષીને મૃત જાહેર કરી હતી. સાથે સરકારી હોસ્પિટલમાં PM કરવા જણાવ્યું હતું.
બાળકી આયુષીની હત્યા કરી હોવાની માતાને આશંકા
સમગ્ર ઘટનાના બીજા દિવસે આયુષીની માતા કિરણ સવારે કોઈ કામ માટે મકાનની છત પર ગઈ હતી. અને ત્યાં આયુષીની માતા કિરણે લોહીના ધાબા, લોહીવાળો બ્લેન્કેટ, ટુવાલ જોયો હતો. સાથે સાથે ધાબા પર લોહીના ડાઘ સાફ કરેલા જોવા મળ્યા હતા. જેને લઈને આયુષીની માતાને શંકા ગઈ હતી. જે બાદ તેની માતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે તપાસ શરૂ કર્યા બાદ FSLની પણ મદદ લીધી હતી. જેમાં સમગ્ર ઘટના વિશે ખુલાસો થયો હતો.