વીવીઆઇપી ચોપર અગસ્તાવેસ્ટલેન્ડ ડીલ ગોટાળા સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ મામલામાં વેપારી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રતુલ પુરીની દિલ્હી હાઇકોર્ટે મંગળવારે ધરપકડથી વચગાળાની રાહત આપી છે.
રતુલ પુરીએ આગોતરા જામીન માટે કોર્ટનો અરજી કરી હતી. દિલ્હી હાઇકોર્ટે રતુલ પુરીની આગોતરા જામીનની અરજી પર 20 ઓગસ્ટ માટે ટાળી દીધી છે. કોર્ટે ઇડીને આ મામલે જવાબ દાખલ કરવા કહ્યું છે. કોર્ટે પુરીની આગોતરા જામીન આપવાથી ઇનકાર કર્યો હતો તો બીજી તરફ 9 ઓગસ્ટે તેના વિરુદ્ધ બિન જામીન વોરન્ટ જાહેર કર્યું હતું.
આયકર વિભાગે પુરી વિરુદ્ધ કરી હતી કાર્યવાહી
આ પહેલા 11 ઓગસ્ટે આયકર વિભાગે પુરી અને તેમના પિતા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. વિભાગે 300 કરોડ રૂપિયાના બંગલા અને લગભગ 284 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. આયકર વિભાગે એપીજે અબ્દુલ કલામ રોડ સ્થિત રામા એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના નામથી રજીસ્ટર થયેલ એક સંપત્તિ સહિત બેનામી સંપત્તિની લેણદેણ અધિનિયમ હેઠળ બિઝનેસ મેન રતુલ પુરી અને દીપક પુરીની સંપત્તિઓ જપ્ત કરી હતી.
Delhi High Court grants interim protection from arrest to Ratul Puri till Tuesday. https://t.co/CGsDfZDzh1
આ ઉપરાંત આયકર વિભાગે રતુલ પુરી અને દીપક પુરીએ લગભગ 284 કરોડ રૂપિયાના પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)ને પણ જપ્ત કરી હતી. રતુલ પુરી વિરુદ્ધ આ આયકર વિભાગની આ પ્રકારની બીજી કાર્યવાહી હતી.