જામનગરમાં વધતા કોરોનાના કેસ વચ્ચે કેબિનેટ મંત્રીની વાસ્તવિકતા સામે આવી છે. ભાજપના નેતા અને નિવૃત્ત મામલદારની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. જેમાં ભાજપના નેતા કાંતિ દુધાગરા અને નિવૃત્ત મામલતદાર પ્રવીણ માધાણી વચ્ચે વાતચીતની કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે. ઓડિયો ક્લિપની વાતચીતમાં ભાજપ નેતાએ કહ્યું કે, વેક્સિનેશન કાર્યક્રમો માટે આર.સી.ફળદુ માત્ર ફોટો જ પડાવે છે. કેબિનેટ મંત્રી થઈને એક કોવિડ સેંટરને ડોક્ટર પણ ન અપાવી શક્તા નથી.
જામનગરના ભાજપ નેતા અને નિવૃત મામલતદારની વાઈરલ ઓડિયોમાં કેબિનેટ મંત્રી ફળદુ અને જયેશ રાદડિયાની તુલના પણ થાય છે. નિવૃત મામલતદારે કહ્યું કે, જયેશ રાદડિયાએ મેદાનમાં ઉતરીને બધી વ્યવસ્થા કરી પણ ફળદુ સાહેબથી કઈ થયું નહીં. તો ભાજપના નેતા બોલ્યા કે, વેક્સિનેશન સેંટર પર વેક્સિન નથી, કોવિડ સેંટરમાં દવાઓ નથી તો જવાબ કોનો માગવો?. તેમના પોતાના જિલ્લામાં કોરોનાની સ્થિતિ સ્ફોટક છે પણ મંત્રી સાહેબ ફોટો પડાવીને જતા રહ્યાં. પ્રજાના કામ નહી કરનારા લોકોના પાપનો ઘડો ભરાઈ ગયો છે. નિ.મામલતદારે કહ્યું, આગામી ચૂંટણીમાં આ બધા મુદ્દાઓને લઈને આ નેતાઓનો જવાબ માગવાનો છે.
ઓડિયમાં સવાલ, જો રાદડિયાને ઓક્સિજન, રેમડેસિવિર મળતા હોય તો ફળદુ સાહેબ કેમ વ્યવસ્થા ન કરાવી શકે?
ભાજપ નેતાની નિખાલસતા, ભલે મંત્રીને ખોટું લાગે પણ પ્રજાને જરૂર છે ત્યારે સવાલ તો પૂછવા પડે ને?