ગુણાતીત સ્વામીના પિતરાઈ ભત્રીજાએ પોલીસને કરી રજૂઆત
સોખડાના સ્વામીનારાયણ મંદિરના ગુણાતીત સ્વામીના મોતને જાહેર નહીં કરવાના અંગે પોલીસે પૂછેલા પ્રશ્નોમાં પૈકી સંતો આપેલા કેટલાક જવાબો ગળે ઉતરે તેવા નથી. મહત્વનું છે કે, મંદિરના સંતો અને સેક્રેટરીએ મોતને છૂપાવવા પાછળનું એવું કારણ જણાવ્યું હતું કે, સાધુ સંતો સમાજથી અલિપ્ત રહેતા હોઇ તેઓને કાયદાની જાણકારી નહતી. ત્યારે ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસનો મામલો એક ઓડિયો ક્લિપ બહાર આવી છે. જેમાં ગુણાતીત સ્વામીએ આપઘાત કરતાં અગાઉ પિતરાઈ ભત્રીજા સાથે કરેલી વાતચીત છે.
ઓડિયો ક્લિપમાં શું છે ઉલ્લેખ?
ગુણાતીત સ્વામીના પિતરાઈ ભત્રીજાએ ભત્રીજાએ હરસુખ ત્રાંગડિયાએ જિલ્લા પીલોસ વડાને સમગ્ર મામલે રજૂઆત કરી છે. અને તેમની વાતચીત દરમિયાનની ઓડિયો ક્લીપ જિલ્લા પોલીસવડાને સોંપી છે.ઓડિયો ક્લિપમાં ગુણાતીત સ્વામી ભત્રીજાને આપવીતી જણાવી રહ્યા હતા કે હું જ આ લોકોને અહીંથી નીકળવા કહેતો હતો. અહીંયા સંતોના લોહી ચુસાય છે. જે બાદ ગુણાતીત સ્વામી કહે છે મારે ઉપર જાવું છે. નિર્મળ સ્વામીને પૈસાની ખૂબ ભૂખ છે. એક મહિનો બધાના ફોન બંધ રખાવ્યા હતા. અહીંયા હું ખૂબ પીડાઈ રહ્યો છું, સહન કરી રહ્યો છું. રાત્રે ઉંઘ પણ નથી આવતી કારણ કે અહીંયા માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. અહીંયા મારું તમામ પચાઈ લીધું છે અને અહીંયા સંતો પાસે ઝાડુ મરાવવામાં આવે છે.
પોલીસે કેટલાક સંતોની કોલ ડિટેઈલ અને લોકેશન પર પોલીસે વોચ ગોઠવી
પોલીસ દ્વારા ગુણાતીત સ્વામીના મોબાઇલ ફોનની કોલ ડિટેલ ઉપરાંત તેમના નિકટના અન્ય સ્વામી અને હરિભક્તોના મોબાઇલ ફોનની ડિટેલ મેળવવામાં આવી છે. ત્યારબાદ જ બુધવારની સાંજ પછી કોની સાથે વાતચીત થઇ હતી? તેઓનું લોકેશન ક્યાં હતું? તેની વિગતો જાણી શકાશે. તેમજ ગુણાતીત સ્વામીનો મોબાઈલ તપાસ માટે FSLમાં મોકલાયો છે
ઘટના શું હતી ?
સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગત બુધવાર મોડીરાત્રે ગુણાતીત સ્વામીનું નિધન થયું હતું. જેને લઈને હરિભક્તોમાં ભારે આઘાત લાગ્યો છે. જો કે, ગુણાતીત સ્વામીનું મૃત્યુ ક્યા કારણોસર થયું તે અંગેની અનેક તર્ક-વિતર્ક ચાલી રહી છે. મૃત્યુની તપાસના પહેલા જ દિવસથી પોલીસ સક્રિય દેખાઈ રહી છે. વડોદરા FSLની ટીમે યોગી આશ્રમના રૂમ નંબરમાં સવા કલાક સુધી તપાસ હાથ ધરી હતી. જેમાં ગળે ફાંસો કેવી રીતે ખાધો? ગળે ફાંસો ખાવા માટે કઇ વસ્તુનો કરાયો ઉપયોગ? રૂમમાં લોહીના નમૂનાની હાજરી છે કે નહીં?ની તપાસ હાથ ધરી હતી.બીજી બાજુ પોલીસે ગુણાતીત સ્વામીના આપઘાતનો મામલો પ્રભુપ્રિય અને હરીપ્રકાશ સ્વામીની પૂછપરછ કરી હતી આ સાથે પોલીસની એક ટીમ તપાસ માટે ગુણાતીત સ્વામીના વતન વંથલી પણ મોકલાઇ હતી. કારણ કે હરિધામના સંતોએ કુદરતી મોત ગણાવી અંતિમ સંસ્કાર કરવાની પેરવી કરી હતી. મહત્વનું છે કે, ગુણાતીત સ્વામીના મોત પાછળ અનેક સવાલો ઉભા થયા છે. ગળેફાંસો માટે ઉપયોગમાં લેવાયેલો સામાન કેમ હટાવી લેવાયા?, પુરાવાની નાશ કરવા મુદ્દે કયા સંતો સામે નોંધાશે ગુનો?,