ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરે જયપુરમાં T20 ઈન્ટરનેશનલ મેચ યોજાવા જઈ રહી છે જેને લઈને મોટો નિર્ણય આવ્યો છે.
17 નવેમ્બરે જયપુરમાં યોજાનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 ઈન્ટરનેશનલ મેચમાં મોટી સંખ્યામાં દર્શકો હાજર રહી શકે છે કારણ કે યજમાન એસોસિએશને કોવિડ-19ની પ્રથમ રસી મેળવનારા ચાહકોના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ લાદ્યો નથી.
આ દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે
જેમને કોરોના વાયરસની પ્રથમ રસી મળી નથી, તો તેઓએ કોવિડ-19 નેગેટિવ હોવાનો માન્ય ટેસ્ટ રિપોર્ટ લાવવો પડશે જે મેચની શરૂઆતથી 48 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ. સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 25,000 દર્શકોની બેઠક ક્ષમતા છે. આ સ્ટેડિયમ 8 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરી રહ્યું છે.
કોવિડ ટેસ્ટ રિપોર્ટ લાવવાનો રહેશે
રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (આરસીએ)ના સેક્રેટરી મહેન્દ્ર શર્માએ ગુરુવારે જણાવ્યું હતું કે, "હાલની સ્ટેટ ગાઈડલાઇન મુજબ, અમે દર્શકોને સંપૂર્ણ ક્ષમતા મુજબ તો નહીં આવવા દઈએ. તમારે નેગેટિવ રિપોર્ટ લાવવાની જરૂર પડશે, જે એન્ટ્રન્સ પર જ તપાસવામાં આવશે.
માસ્ક વિના પ્રવેશ નહીં
મહેન્દ્ર શર્માએ કહ્યું કે, માસ્ક વગર સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. કોરોનાના સમયગાળા દરમિયાન ભારતમાં કોઈ પ્રતિબંધ વિના આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. ઈંગ્લેન્ડ સામેની ભારતની હોમ સિરીઝ દરમિયાન પણ દર્શકોને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તેમની સંખ્યા સ્ટેડિયમમાં 50 ટકા રાખવામાં આવી હતી. બાદમાં મર્યાદિત ઓવરોની શ્રેણીમાં, કોવિડ-19ના કેસમાં વધારો થવાને કારણે આયોજકોએ દર્શકો વિના મેચો યોજવી પડી હતી.
11 નવેમ્બરથી ટિકિટનું વેચાણ
મહેન્દ્ર શર્માએ જણાવ્યું કે શરૂઆતની T20 મેચની ટિકિટોનું વેચાણ ગુરુવાર રાતથી શરૂ થશે અને Paytm.com પર ઉપલબ્ધ થશે. "ટિકિટની કિંમત રૂ. 1000 થી શરૂ થશે અને સૌથી મોંઘી ટિકિટ રૂ. 15,000 હશે," એવું તેમણે કહ્યું હતું.
ઘણા કિવી ખેલાડીઓ ભારત પહોંચ્યા હતા
મહેન્દ્ર શર્માએ કહ્યું કે ન્યુઝીલેન્ડ 14 નવેમ્બરે યોજાનાર ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે, પરંતુ તેની ટેસ્ટ ટીમના 9 ખેલાડીઓ બુધવારે જયપુર પહોંચી ગયા છે. ટુર્નામેન્ટમાંથી વહેલા બહાર નીકળી જવાને કારણે ભારતીય ખેલાડીઓ પહેલેથી જ સ્વદેશ પરત ફર્યા છે અને ટૂંક સમયમાં જ 'બાયો-બબલ'માં પ્રવેશ કરશે. 3 મેચની T20 શ્રેણી પછી 2 ટેસ્ટ રમાશે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પણ ભાગ હશે.