પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલા ઉપહારોની ઈ-હરાજી આજથી શરુ થઇ ગઈ છે. પીએમને મળેલા 1200 કરતા પણ વધારે પ્રતિષ્ઠિત અને સ્મરણીય સ્મૃતિ ચિહ્નોની આ હરાજી 2 ઓક્ટોબર સુધી ચાલશે.
પીએમ મોદીને મળેલા ઉપહારોની ઈ-હરાજી આજથી શરુ
1200 વધારે ઉપહારો મળ્યા
પીએમનાં જન્મદિવસ પર જન્મેલા બાળકોને મળી સોનાની વીંટી
પીએમ મોદીને મળેલા ઉપહારોની ઈ-હરાજી આજથી શરુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલા ઉપહારોની ઈ-હરાજી આજથી શરુ થઇ ગઈ છે. પીએમ મોદીનો આજે જન્મદિવસ છે. આ અવસર પર તેમને મળેલા પ્રતિક ચિહ્નો અને ઉપહારો વગેરેની હરાજી વેબસાઈટના માધ્યમથી કરવામાં આવી રહી છે. પીએમ મોદીને મળેલા 1200 કરતા પણ વધારે પ્રતિષ્ઠિત અને સ્મરણીય સ્મૃતિ ચિહ્નોની આ હરાજી 2 ઓક્ટોબર સુધી ચાલશે. સંસ્કૃતિ મંત્રાલયે પીએમ મોદીનાં ઉપહારોની ચોથી ઈ-નીલામીનું આયોજન કર્યું છે.
2019માં આ વસ્તુઓને ખુલી હરાજીના માધ્યમથી લોકો માટે રાખવામાં આવી હતી. તે સમયે હરાજીનાં પહેલા પડાવમાં 1805 ઉપહાર પેશ કરવામાં આવ્યા હતા અને બીજા પડાવમાં 2772 ઉપહાર રાખવામાં આવ્યા હતા. 2021માં પણ પીએમ મોદીને મળેલા ઉપહારોની હરાજી સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. તે સમયે વેબસાઈટનાં માધ્યમથી 1348 સ્મૃતિ ચિહ્ન વગેરે જેવી વસ્તુઓને પેશ કરવામાં આવી હતી. વેબસાઈટ પર ઈ- નીલામી માટે સ્મૃતિ ચિહ્ન પ્રસ્તુત કરવામાં આવ્યા છે, તેમને નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
શું શું છે લિસ્ટમાં?
આ હરાજીમાં પીએમ મોદીને મળેલ શાનદાર પેઇન્ટિંગ્સ, મૂર્તિકળા, હસ્તશિલ્પ અને લોક કલાકૃતિઓ સામેલ છે. આમાંથી ઘણી વસ્તુઓ પીએમ મોદીને પારંપરિક રીતે ઉપહારમાં આપવામાં આવી છે, જેવી કે પારંપરિક અંગવસ્ત્રમ, શોલ, પાઘડી - ટોપી, તલવારો વગેરે. અયોધ્યાનાં શ્રી રામમંદિર અને વારાણસીનાં કાશી વિશ્વનાથ મંદિરની અનુકૃતિઓ પણ અન્ય આકર્ષક સ્મૃતિ ચિહ્નોમાં સામેલ કરવામાં આવી છે. પીએમ મોદીને મળેલા ઉપહારોની હરાજી pmmementos.gov.in વેબસાઈટના માધ્યમથી કરવામાં આવશે.
પીએમનાં જન્મદિવસ પર જન્મેલા બાળકોને મળી સોનાની વીંટી
રીપોર્ટસ અનુસાર, બીજેપીની તમિલનાડુ શાખા આજે પીએમ મોદીનાં જન્મદિવસનાં અવસર પર નવજાત શિશુઓને સોનાની વીંટી અને બેબી કીટ ઉપહારમાં આપવાનો કાર્યક્રમ આયોજિત કરી રહી છે. બીજેપીનાં સૂત્રો અનુસાર, પીએમ મોદીનાં જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ જન્મેલા બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે, જેમાં પ્રત્યેક વીંટીનું વજન લગભગ બે ગ્રામ હશે.
જણાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય મત્સય પાલન રાજ્ય મંત્રી એલ મુરુગન રોયાપુરમ સ્થિત આરએસઆરએમ હોસ્પિટલમાં લાભાર્થી શિશુઓને સોનાની વીંટી અને સાથે જ કીટ પણ ઉપહારમાં આપવામાં આવશે. આટલું જ નહીં, એલ મુરુગન પીએમ મોદીનાં 72નાં જન્મદિવસ મનાવવા માટે કોલાથુર વિધાનસભા ક્ષેત્રમાં જનતાને પીએમ મત્સય સંપદા હેઠળ 750 કિલોગ્રામ માછલી વિતરિત કરશે.