પુજન સામગ્રી જેવી વસ્તુઓ શક્ય હોય ત્યાં સુધી શુધ્ધ રાખવા જરૂરી છે. નહીંતર દેવી-દેવતાઓ નારાજ થઇ જાય છે તેવી એક માન્યતા ઠેર-ઠેપ પ્રચલીત થયેલી જોવા મળે છે. ભગવાનને પ્રસન્ન કરવામાંટે નિત્યપુજા-પાઠ કરવા જોઈએ. પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન ના રાખીએ તો તેનું ફળ મળતુ નથી. પુજા-પાઠ સમયે દિવો પ્રગટાવવાનું ખાસ મહત્વ રહેલુ છે. તેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. અહીં આપવામાં આવે તો કરવામાં આવેલ પુજાનું ખાસ ફળ પ્રાપ્ત થાય છે.
- ભેળસેળ કરેલ ઘીનો ઉપયોગ ટાળવો જોઈએ. અને પુજામાં શુધ્ધ ઘીનો ઉપયોગ કરવો જોઈએ.
- દુવામાંટે ઉપયોગમાં લીધેલ રૂ શુધ્ધ હોવુ જોઈએ.
- એક માન્યતા મુજબ જ્યાં સુધી પુજન વિધી ચાલે ત્યાં સુધી ત્યાં સુધી દિવો સતત ચાલુ રહેવો જોઈએ.
- દિવો જ્યાં સુધી પ્રગટેલો રહે ત્યાં સુધી રાખવો જોઈએ કારણ કે તેના પ્રકાશના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
- ધાર્મિક માન્યતા અનુસાર વાંસમાંથી બનેલી અગરબત્તીને ક્યારેય પ્રગટાવવી ના જોઈએ. આપણા ધાર્મિક ગ્રંથોમાં એવુ લખેલ છે કે વાસનો ઉપયોગ પુજા માટે ના કરવો જોઈએ. વાંસ માત્રને માત્ર કોઇ વ્યક્તિનુ દેહાંત થાય તેને સ્મસાન સુધી લઈ જવામાંટે જ કરવામાં આવે છે.
- સમયાંતરે ઘરમાં હવન કરવો જોઈએ. જેના કારણે વાતવરણમાં રહેલ કીટાણુંઓ નાશ પામે છે અને હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
- હવનમાં ઉપયોગમાં લીધેલ સામગ્રી શુધ્ધ હોય તેનો ખાસ આગ્રહ રાખવો જોઈએ. જો પુજન સામગ્રી અશુધ્ધ હશે તે હવનનું ખાસ ફળ મળતુ નથી.
- પુજનમાં જો લવીંગનો ઉપયોગ કરતા હોવને તો તે લવીંગ પર ફુલ ના હોવુ જોઈએ તેનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ.