યુપીની સાંસ્કૃતિક નગરી વારાણીની ઓળખ ગંગા ઘાટથી થાય છે. ગંગામાં સાબુના પાણીથી કપડા ધોવા બદલ 5 હજારનો દંડ અને કચરો ફેંકવા પર 1 લાખ રૂપિયાનો દંડ વસૂલાશે.
યુપીની સાંસ્કૃતિક ઓળખ ગંગા ઘાટથી થાય છે
ગંગામાં કચરો ફેંકનાર કે સાબુનું પાણી છોડનાર સામે સખ્ત કાર્યવાહિ કરાશે
ગંગા નદીનાં રક્ષણને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સચેત
યુપીની સાંસ્કૃતિક નગરી વારાણીની ઓળખ ગંગા ઘાટથી થાય છે. ગંગામાં સાબુના પાણીથી કપડા ધોવા બદલ દંડ ફટકારવામાં આવશે. ત્યારે જો કોઈ વ્યક્તિ દ્રારા આ બાબતનું ઉલ્લંઘન કરવામાં આવશે તો દોષિતોને 1 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. તેમજ સાબુનો ઉપયોગ કરવા બદલ 5 હજારનો દંડ ફટકારવામાં આવશે.
દોષિતને એક લાખનો દંડ ફટકારવામાં આવશે
ઉત્તર પ્રદેશ સાંસ્કૃતિક નગરી વારાણસીની ઓળખાણ ઘાટોથી છે. ત્યારે દિન પ્રતિદિન વારાણસીના ઘાટ પર પૂજા પાઠ, અનુષ્ઠાન સિવાય ગંગા આરતી સહિત અન્ય ધાર્મિક તેમજ સાંસ્કૃતિક આયોજનો થતા રહે છે. જેના લીધે ગંગા પ્રદૂષિત થાય છે. સાથે જ કેટલીક જગ્યાઓ પર દૂષિત પાણી વહેવડાવવામાં આવે છે. જેના પર સરકાર કડક નિયમો બનાવી રહી છે. ત્યારે હવે જો ગંગામાં ગંદુ પાણી છોડવામાં આવ્યું તો સરકાર દ્વારા તેની સામે સખ્ત કાર્યવાહિ કરવામાં આવશે. જેમાં દોષિતને એક લાખનો દંડ ફટકારવામાં આવશે અને સાબુનો ઉપયોગ કરનારને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવશે.
ગંગાને સ્વચ્છ કરવા અનેક યોજનાઓ શરૂ કરી છે
ગંગા નદીનાં રક્ષણને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સચેત છે. ત્યારે ગંગાને સાફ અને સ્વચ્છ રાખવા માટે તમામ યોજનાઓ ચાલી રહી છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી ગંગામાં ડૂબકી લગાવી હતી. ત્યારથી એ દિશામાં કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ઘટના ક્રમમાં વારાણસીમાં નગર નિગમ દ્વારા ગંગાને સ્વચ્છ રાખવા માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે. જેનાથી સ્વચ્છ ગંગા નદીને દૂષિત કરવાવાળા સામે સખ્ત કાર્યવાહિ કરવામાં આવે.
નગર નિગમ દ્વારા પણ સખ્ત નિર્ણયો લેવાયા
રાજ્ય સરકાર અને પ્રશાસનનાં પ્રયત્નો પછી પણ લોકો સુધરવાનું નામ નથી લેતા. સ્થાનિક લોકો ગંગામાં કચરો તેમજ દૂષિત પાણી છોડે જ છે. ગંગાને મોક્ષદાયિની કહેવામાં આવે છે. પરંતું તેમાં દૂષિત પાણી હજુ પણ છોડવામાં આવે છે. જેને લઈને ખૂબ જ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ગંગામાં કચરો નાંખનાવ વ્યક્તિને એક લાખને દંડ ફટકારવામાં આવ્યો છે. વારાણસી નગર નિગમ દ્વારા ગંગાની સફાઈ કરવા માટે કટીબધ્ધ છે. ત્યારે જે વ્યક્તિ સાબુનો ઉપયોગ કરતો પકડાશે તેને 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
વારાણસીમાં ગંગાની સાથે શહેરમાં પણ કચરો ફેંકવાવાળા પર પણ સખ્ત નિર્ણયો કરવામાં આવનાર છે. ત્યારે શહેરમાં ગંદકી કરનાર સામે પણ પગલા ભરવામાં આવશે.