ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડહોળવાના પ્રયાસ થઈ રહ્યા છે. વિવાદિત પોસ્ટમાં કિશન ભરવાડની હત્યા કેસથી લઈને રામનવમીમાં ખંભાત અને હિમંતનગરમાં થયેલા પથ્થરમારા અને હિંસાની ઘટનાઓ આ વાતની સાક્ષી પૂરે છે. ત્યારે ખેડાના નડિયાદમાં ધાર્મિક સોહાર્દ બગડે તેવા પ્રયાસ કરવામા આવ્યા છે. જાગેશ્વર હનુમાન મંદિરની મૂર્તિ ખંડિત કરવામા આવતા ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે.
ખેડા -નડિયાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે
નડિયાદમાં શાંતિ દહોડવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે ત્યારે પવનચક્કી રોડ ઉપર આવેલ જાગેશ્વર હનુમાનજી મંદિરમાં મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મૂર્તિ ખંડિત થતા તાત્કાલિક નડિયાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે
શું છે સમગ્ર બનાવ?
નડિયાદના પવનચક્કી રોડ ઉપર આવેલ જાગેશ્વર હનુમાનજી મંદિર માં આજે બપોરે એક એક્ટિવા લઈ ઈસમ આવ્યો હતો અને હનુમાનજીના દર્શન કરતો હોય તેવું નાટક કરી હનુમાનજીની મૂર્તિને ત્યાં પડેલ પથ્થર થી મો ના ભાગે આંખ નાક ને નુકશાન કરી મૂર્તિ ખંડિત કરી હતી આ સ્થાનિકોએ જોઈ બુમાબુમ કરતા તે ઈસમ ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો હતો ઘટના ની જાણ વિશ્વ હિન્દુ પરિષદ ને થતા તેમના કાર્યકરોએ નડિયાદ પોલીસને જાણ કરી હતી જેથી નડિયાદ ખેડા પોલીસ સાથે એલસીબી એસઓજી પણ દોડી આવી વિસ્તારમાં આવેલ સીસીટીવી ચેક કરી તપાસ હાથ ધરી છે
VTV ગુજરાતીના સળગતા સવાલ
શુ મૂર્તિ ખંડિત કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે
ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ ?
કોણ ઈચ્છી રહ્યુ છે કે, રાજ્યમાં ધાર્મિક સોહાર્દ બગડે ?
શુ આ ઈરાદાપૂર્વક કરવામાં આવેલુ કૃત્ય હોઈ શકે ?
શુ આવા કૃત્યથી ધ્રૃવીકરણનો પ્રયાસ થઈ રહ્યો છે ?
ધાર્મિક સોહાર્દ બગડવાથી કોને થઈ શકે છે ફાયદો ?
શુ આ કૃત્યથી ધાર્મિક દંગા ન ફેલાઈ શકે ?
કોણ છે જે ધર્મો વચ્ચે વૈમનસ્ય ફેલાવી દંગા કરવા ઈચ્છે છે ?