અમેરિકાના વિદેશ મંત્રીએ ધાર્મિક સ્વતંત્રતા પર કરી વાત
એન્ટની બ્લિંકએ પાકિસ્તાન, ચીનનો પણ કર્યો ઉલ્લેખ
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે. કે, ભારતમાં લોકો અને ધાર્મિક સ્થળો પર હુમલાઓ વધી રહ્યાં છે
Today, @statedept released the 2021 International Religious Freedom Report. Respect for religious freedom isn’t only one of our deepest held values and a universal human right—it’s also a vital foreign policy priority. We must do more to combat rising forms of hate. pic.twitter.com/Gsl43J2jpa
— Secretary Antony Blinken (@SecBlinken) June 2, 2022
અમેરિકાના વિદેશ મંત્રીએ ભારતની ધાર્મિક સ્વતંત્રતા પર વાત કરી
આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાની વાર્ષિક રિપોર્ટ રજૂ કરતાં એન્ટોની બ્લિંકએ આ વાત કહી હતી. તેમણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીનનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અલ્પસંખ્યક સમુદાયો અને મહિલાઓને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. ધાર્મિક સ્વતંત્રતા પર વાત કરતાં એન્ટોની બ્લિંકને કહ્યું કે, ઉદાહરણ માટે ભારતની વાત કરીએ તો તે દુનિયામાં સૌથી મોટું લોકતંત્ર છે. જેમાં ઘણાં ધર્મોને માનવવા વાળા લોકો રહે છે. અમે દેખ્યું છે કે, ત્યાં લોકો અને પૂજા સ્થળો પર હુમલાઓ વધી રહ્યાં છે. વિયેતનામમાં સત્તાવાળાઓ બિન-નોંધાયેલ ધાર્મિક સમુદાયોના સભ્યોને હેરાન કરે છે. નાઈઝીરીયામાં કેટલાક રાજ્યોની સરકાર પોતાની માન્યતાઓને વ્યક્ત કરવા પર બદનક્ષી અને નિંદા કાયદા હેઠળ સજા આપે છે.
એન્ટની બ્લિંકએ પાકિસ્તાન, ચીનનો પણ ઉલ્લેખ કર્યો
વધુમાં ચીનનો ઉલ્લેખ કરતાં એન્ટોની બ્લિંકનને કહ્યું કે, ચીનમાં બૌદ્ધ, ખ્રિસ્તી, મુસ્લિમ અને તાઓવાદી સમુદાયોના ધાર્મિક સ્થળોને તબાહ કરવામાં આવ્યાં છે. ત્યાં એ પણ કહેવામાં આવ્યું છે કે, તિબ્બતી બૌદ્ધ, ખ્રિસ્તી, મુસ્લિમ વગેરે લોકોને ત્યાં ઘર અને રોજગાર નથી આપવામાં આવતો બ્લિકંને આગળ અફઘાનિસ્તાનના વિશે જણાવ્યું હતું કે,ત્યાં તાલિબાનની સરકાર આવ્યા બાદ ત્યાંની ધાર્મિક સ્વતંત્રતા ખતમ થઈ ગઈ છે. યુવતીઓ અને મહિલાઓ સાથે થઈ રહ્યાં છે અત્યાચારો, તેમના પર લાગેલા પ્રતિબંધોનો ઉલ્લેખ કર્યોહતો.