અમદાવાદમાં શેરીમાં રખડતા શ્વાન દ્વારા 2 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો. બાળક પર હુમલો કરીને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જોકે સ્થાનિકોએ સમય સુચકતા દાખવીને બાળકને શ્વાનના ચૂંગલમાંથી છોડાવ્યો હતો.
અમદાવાદના જમાલપુરમાં શ્વાનનો ત્રાસ જોવા મળ્યો હતો. શેરીમાં રખડતા શ્વાન દ્વારા 2 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો. બાળક પર હુમલો કરીને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
જોકે સ્થાનિકોએ સમય સુચકતા દાખવીને બાળકને શ્વાનના ચૂંગલમાંથી છોડાવ્યો હતો. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મહત્વનું છે કે, આ શ્વાન દ્વારા એક દિવસમાં જમાલપુરમાં 17થી વધુ લોકો પર હુમલો કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર શહેરમાં શ્વાનનો ત્રાસ છે. ત્યારે આ પ્રકારે અનેક ઘટનાઓ બને છે. જો કોઇ મોટી ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણ? શ્વાનો આ પ્રકારે નાના બાળકો પર હુમલા કરીને ગંભીર ઇજાઓ પહોંચાડે છે. ત્યારે તંત્ર સાવચેત થઇને કોઇ ઉકેલ લાવે.