નાગરિકતા સંશોધન એક્ટના નામ પર દિલ્હીમાં થયેલી અત્યાર સુધીની હિંસામાં 22 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 189 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર જીટીબી હોસ્પિટલમાં ચાલી રહેલી હોસ્પિટલમાં ચાલી રહી છે. ડૉક્ટરના જણાવ્યાનુંસાર અત્યાર સુધીમાં 46 કેસ એવા હતા કે જેને શોર્ટ ગન ઈજા થઈ હતી. જ્યારે કે એક પેશન્ટ એવો હતો કે જેના માથા પર અસામાજિક તત્વોએ રૉડ ઘૂસાડી દીધી હતી.
અસામાજીક તત્વોએ પેટ્રોલ પંપમાં આગ લગાવી હતી
દિલ્હીમાં અર્ધ સૈનિકદળ કંપનીઓમાં વધારો કરાયો
સૈનિકોએ અસરગ્રસ્ત વિસ્તારમાં માર્ચ કરી શાંતિ જાળવવા અપીલ કરી
માર્ચ કરી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી
જોકે એકવાત સારી રહી કે યુવકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો અને ડૉક્ટરોએ ઘણી સતર્કતાથી સારવાર કર્યો હતો. હાલ યુવક ખતરામાંથી બહાર છે. ત્યારે બુધવારે દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળોએ હિંસામાં અસરગ્રસ્ત વિસ્તારમાં માર્ચ કરી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઘણા સમય પછી એક્શનમાં આવ્યું છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 800 જવાનોની ડ્યૂટી લગાવી દેવામાં આવી છે. મંગળવાર સુધી દિલ્હીમાં 37 અર્ધસૈનિક દળ કંપનીને ફરજ બજાવવા મેદાને ઉતારવામાં આવી હતી. જે વધારીને 45 કરી દેવામાં આવી છે. અર્ધ સૈનિક દળોના જવાન પોલીસની સાથે મળીને કેટલાય વિસ્તારોમાં માર્ચ કરી રહ્યાં છે.
અસામાજીક તત્વોએ પેટ્રોલ પંપમાં આગ લગાવી દીધી હતી
બીજી તરફ ભજનપુરા વિસ્તારમાં હિંસા પછી હવે સુરક્ષાદળોએ મોર્ચો સંભાળી લીધો છે. અહીં બીએસએફ તરફથી માર્ચ કાઢવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વોએ એક પેટ્રોલ પંપમાં આગ લગાવી દીધી હતી અને ગાડીઓમાં તોડફોડ કરી હતી.