જૂનાગઢમાં ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર તલવાર વડે અજાણ્યા સાધુએ હુમલો કર્યો છે, તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટ ખસેડાયા છે
જૂનાગઢમાં ગિરનાર ક્ષેત્રના જયસીકાનંદ માતાજી પર હુમલો
જયસીકાનંદ માતાજી પર તલવાર વડે અજાણ્યા સાધુએ કર્યો હુમલો
હુમલાની જાણ થતાં સાધુ-સંતો હોસ્પિટલ પહોંચ્યા
જૂનાનગઢમાં ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર હુમલો થયાની ચકચારી ઘટના સામે આવી છે. ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર તલવાર વડે હુમલો થયો છે. તાત્કાલિક સારવાર માટે જયસીકાનંદ માતાજીને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
તલવાર વડે અજાણ્યા સાધુએ કર્યો હુમલો
ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર અજાણ્યા સાધુએ તલવાર વડે હુમલો કર્યો છે. જો કે, હુમલામાં જયસીકાનંદ માતાજી ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હુમલાની જાણ થતાં સાધુ-સંતો હોસ્પિટલ પહોંચ્યા છે. માતાજી પર અજાણ્યા સાધુએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યું છે. ઈન્દ્રભારતી બાપુ સહિતના સંતો હોસ્પિટલ પહોંચ્યાં છે, તેમજ સાધુ-સંતોમાં રોષની જોવા મળી રહ્યો છે
પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી
જો કે, માતાજીને ગંભીર ઇજા થતાં સિવલ હોસ્પિટલ ખસેડાયા હતાં, જે સમગ્ર ઘટનાની સાધુ-સંતોને જાણ થતાં તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તલવાર વડે હુમલા થયાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો અને હુમલાની તપાસ હાથ ધરી છે.