કેનેડામાં છેલ્લા થોડાક દિવસોથી સતત હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેમાં લૂંટફાટ અને તોડફોડની ઘટનાઓ ઘટી રહી છે. આ જ કારણે ભક્તો અને પૂજારીઓમાં ડરનો માહોલ છે.
હિન્દુ મંદિરોને કરી રહ્યા છે ટાર્ગેટ
લૂંટફાટ અને તોડફોડની ઘટનાઓ વધી
પૂજારીઓમાં ફફડાટ બેઠો
કેનેડામાં છેલ્લા થોડાક દિવસોથી સતત હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેમાં લૂંટફાટ અને તોડફોડની ઘટનાઓ ઘટી રહી છે. આ જ કારણે ભક્તો અને પૂજારીઓમાં ડરનો માહોલ છે. હાલત એવી થઈ ગઈ છે કે, છેલ્લા 10 દિવસમાં 6 મંદિરોને લૂંટવામાં આવ્યા છે. ઉપદ્રવીઓ દાન પેટીમાંથી કૈશ ચોરી મૂર્તિઓ પર સજાવામાં આવેલા આભૂષણો ચોરીને લઈ જાય છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
આ ઘટના 15 જાન્યુઆરીએ હનુમાન મંદિરમાં એક તોડ ફોડ સાથે શરૂ થઈ હતી. આ દિવસે ગ્રેટર ટોરંટો એરિયામાં બ્રૈમ્પટનમાં હનુમાન મંદિરમાં તોડફોડની કોશિશ નિષ્ફળ રહી હતી. તો વળી 25 જાન્યુઆરીએ આ જ શહેરમાં દેવી દુર્ગાના મંદિરમાં તોડફોડ થઈ હતી. આ બંને ઘટનાઓ બાદ ઉપદ્રવીઓએ ગૌરી શંકર મંદિરમાં જગન્નાથ મંદિરમાં પણ લૂંટફાટ કરી હતી. 30 જાન્યુઆરીએ મિસિસૌગામાં હિન્દુ હેરિટેજ સેન્ટરમાં 2 વ્યક્તિઓએ દાન પેટી અને મુખ્યકાર્યાલયમાં તોડફોડ કરી હતી.
રાતના 2થી 3ની વચ્ચે થઈ જાય છે તોડફોડ
એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર આવી ઘટનાઓ મોટા ભાગે રાતના સમયે થાય છે અને તે પણ 2થી 3ની વચ્ચે. સીસીટીવીમાં આ આરોપીઓની તસ્વીરો સામે આવી છે. જેમાં ચહેરો છુપાવવા માટે મોં પર કપડા બાંધેલા છે. આ લોકો દાનપેટીમાં રોકડ રૂપિયા અને દેવતાની પૂજાવાળા આભૂષણ તથા કિંમતી સામાન શોધી રહ્યા છે.
આ ઘટનાઓએને લઈને પૂજારીઓ જણાવે છેકે, સવારે પૂજાના સમયે હવે અમને પણ ડર લાગે છે. એક પૂજારીએ કહ્યું કે, હું ચારેબાજૂ જોતો રહું છું કે, આજૂબાજૂમાં કોઈ છે તો નહીં ને. હું બધી લાઈટો ચાલું રાખું છું. મંદિર ખોલતા પહેલા એ પણ જોઉ છું કે, બારીઓ પાસે કોઈ છે તો નહીં ને.