જામનગરમાં મહિલાએ બાળકને પોલિયોના ટીપા કેમ પીવડાવ્યા એવું કહીને માથાકૂટ કરી હતી
જામનગરમાં આરોગ્યકર્મીઓ પર મહિલાનો હુમલો
પોલિયો રસીકરણના બે મહિલા હેલ્થવર્કર સહિતનાઓ પર હુમલો
બાળકને પોલીયોના ટીપા કેમ પીવડાવ્યા કહી માથાકૂટ કરી
જામનગરમાં આરોગ્યકર્મીઓ પર એક મહિલાએ પોલિયોના ટીપા મામલે હુમલો કરી દીધો છે. હાલમાં સરકાર દ્વારા પોલિયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે ઘરે-ઘરે જઈને આરોગ્ય કર્મચારીઓ આ કામ કરી રહ્યા છે. આવી જ રીતે જામનગરમાં પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી રહ્યા છે. ત્યારે એક મહિલાએ બાળકને પોલિયોના ટીપા કેમ પીવડાવ્યા એવું કહીને માથાકૂટ કરી હતી. જે હેલ્થવર્કર્સ પોલિયોના ટીપા પીવડાવી રહી હતી. તેના પર હુમલો પણ કરવામાં આવ્યો છે.
આ બાદ પોલીસે હુમલો કરનાર મહિલાની અટકાયત કરી હતી. સાથે તેના વિરુદ્ધ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ અને મારામારીની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.મહત્વનું છે કે, હાલમાં કોરોનાના નાથવા રસીકરણ ચાલી રહ્યું છે. અને ગુજરાતમાં કેટલાક સમયથી રસી આપ્યા બાદ લોકોને રિએક્શન પણ જોવા મળ્યા છે. ત્યારે બાળકોને પોલિયોની રસીકરણથી પણ લોકોમાં ડર હોઈ શકે છે.