ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જન આશીર્વાદ યાત્રાને લઈને કહ્યું કે 14 દિવસમાં યાત્રાએ 24 હજાર કિમીનું અંતર કાપ્યું, જેમા 5 હાજર કાર્યક્રમ યોજાયા હતા. સાથેજ આ મુદ્દે તેમણે વિપક્ષ પર પણ આકરા પ્રહાર કર્યા.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના વિપક્ષ પર પ્રહાર
જન આશિર્વાદ યાત્રાને લઈને કર્યા પ્રહાર
નારાયાણ રાણેની ધરપકડને લઈ આપ્યું મોટું નિવેદન
મોદી સરકારે 39 નવા મંત્રીઓની નિમણૂંક કરી ત્યારબાદ ભાજપે જન આશિર્વાદ યાત્રા યોજી હતી જે યાત્રાએ 24 હજાર કિમીનું અંતર કાપ્યું છે. 15 ઓગસ્ટના રોજ આ યાત્રા શરૂ થઈ હતી. જે 28 ઓગસ્ટ 2021 એટલેકે 14 દિવસ સુધી ચાલી હતી. આ યાત્રામાં 5 હજાર જેટલા કાર્યક્રમ યોજાયા હતા.
લોકોએ યાત્રાને સ્વીકારી: નારાયણ રાણે
સમગ્ર મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ માહિતી આપતા જણાવ્યું કે જન આશીર્વાદ યાત્રાને દેશના દરેક લોકોએ આવકારી છે અને જનતાએ ખૂણે ખૂણેથી પ્રેમ આપ્યો છે. સાથેજ તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે જન આશિર્વાદ યાત્રાની સફળતાને લઈને વિપક્ષી પાર્ટીઓ ડરી ગઈ. તેમણે યાત્રામાં અડચણ લાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા.
નારાયણ રાણેની ધરપકડ મામલે આપ્યું નિવેદન
વધુમાં તેમણે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડને લઇને નિવેદન આપતા કહ્યું કે મહારાષ્ટ્રમાં વિપક્ષ દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો જે બધાએ જોયું. સાથેજ આ ઘટનાને લોકતંત્ર માટે યોગ્ય નથી તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો અને કહ્યું કે દેશના લોકોએ વિપક્ષના ઈરાદાને નકારીને વિકાસની રાજનીતિ પ્રત્યે પોતાનો વિશ્વાસ દાખવ્યો.
ભાજપ અમે PM મોદીને જનતાના આશીર્વાદ : જે પી નડ્ડા
સમગ્ર મામલે જેપી નડ્ડાએ કહ્યુ કે 2014માં મોદી સરકાર આવ્યા બાદ તેમણે દેશની જનતાના કલ્યાણ અને દેશના વિકાસ માટે દરેક કામો કર્યા છે. આજ કારણોસર જનતાનો આશીર્વાદ પણ વડાપ્રધાન મોદી, કેન્દ્ર સરકાર અને ભાજપને મળતો રહ્યો છે.