દેશભરમાં દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. ત્યારે ગુજરાતના ભુજમાં હોમિયોપેથિક ડોકટર દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા પર મંગળવારે સાંજે કેસ પાછો ખેંચી લેવાની અને મારી નાંખવાની ધમકી આપી અજાણ્યા બુકાનીધારી શખ્સે છરી મારી હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.
કચ્છમાં દુષ્કર્મ પીડિતા પર છરીથી હુમલો
કેસ પરત ખેંચી લેવાની ધમકી સાથે હુમલો
બાઈક પર આવ્યા હતા અજાણ્યા શખ્સો
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, ભોગ બનનાર સગીરાના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા કહ્યું કે, માધાપરમાં હોમિયોપેથીના ડોકટર વિરૂદ્ધ 13મી ઓગસ્ટ 2019નાં રોજ બી ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાવી હતી.
મોડી સાંજે દુષ્કર્મ પીડિતા પર હુમલો
આ બનાવ અંગેનું મનદુ:ખ રાખીને કે પછી અન્ય કોઇ કારણોસર મંગળવારની મોડી સાંજે સગીરા અને તેના ભાઈ સાથે જતા હતા ત્યારે પાછળથી એક બુકાનીધારી બાઈક ચાલક આવ્યો હતો અને તેણે કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપીને હુમલો કર્યો હતો.