જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી (JNU)માં રવિવારે સાંજે મોટો હંગામો થયો અને વાત મારપીટ સુધી પહોંચી ગઇ. આ દરમિયાન જેએનયૂ વિદ્યાર્થી સંઘ (JNUSU)અધ્યક્ષ આઇશી ઘોષ ખરાબ રીતે ઘાયલ થઇ ગઇ છે. જ્યારે જેએનયૂ વિદ્યાર્થી સંઘનો દાવો છે કે, આ હિંસા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)દ્વારા કરવામાં આવી છે.
જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી (JNU)માં રવિવારે સાંજે મોટો હંગામો થયો
જેએનયૂ વિદ્યાર્થી સંઘ (JNUSU)અધ્યક્ષ આઇશી ઘોષ ખરાબ રીતે ઘાયલ થઇ
વિદ્યાર્થી સંઘનું કહેવું છે કે, તેમની અધ્યક્ષ આઇશી ઘોષ અને અન્ય ઘણા સ્ટૂડેન્ટ્સને ABVPના સભ્યોએ માર માર્યો. આ દરમિયાન કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. તસવીરમાં જેએનયૂએસયૂ અધ્યક્ષ આઇશી ઘોષ લોહીથી લથપથ નજરે પડી.
જેએનયૂએસયૂએ દાવો કર્યો કે, સાબરમતી અને અન્ય હોસ્ટેલમાં ABVPએ એન્ટ્રી કરી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો છે. સાથે જ ABVPની તરફથી પથ્થરમારો અને તોડફોડ પણ કરવામાં આવી. જેએનયૂએસયૂનું કહેવું છે કે, તોડફોડ કરનાર લોકોએ ચહેરો ઢાંકી રાખ્યો હતો.
જ્યારે જેએનયૂ કેમ્પસમાં થયેલા આ હુમલાઓને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હેરાની દર્શાવી છે. મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વિટ કરી લખ્યું કે, જેએનયૂમાં હિંસા વિશે જાણીને હું ખૂબજ હેરાન છું. વિદ્યાર્થીઓ પર ખરાબ રીતે હુમલો કરવામાં આવ્યો. પોલીસે તાત્કાલિક હિંસાને રોકી અને શાંતિની સ્થાપના કરી. જો આપણા વિદ્યાર્થીઓ યૂનિવર્સિટીના કેમ્પસમાં સુરક્ષિત નહીં રહે, તો દેશ કેવી રીતે પ્રગતિ કરશે?
I am so shocked to know abt the violence at JNU. Students attacked brutally. Police shud immediately stop violence and restore peace. How will the country progress if our students will not be safe inside univ campus?
કોંગ્રેસ નેતા અજય માકને જેએનયૂમાં હુમલાને ખૂબ જ હેરાન કરનારા સમાચાર બતાવ્યા છે. અજય માકને લખ્યું કે, આ આપણા લોકતંત્ર માટે કાળો દિવસ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે લખ્યું, આપણે આ શું જોઇ રહ્યા છીએ, ટીવી પર લાઇવ ચોંકાવનારું અને ભયાનક છે. બુકાનીધારી લોકો જેએનયૂ હોસ્ટેલમાં પ્રવેશ કરી વિદ્યાર્થીઓ પર હુમલો કરે છે. પોલીસ શું કરી રહી છે, ક્યાં છે પોલીસ? એક અન્ય ટ્વિટમાં પી. ચિદમ્બરમે લખ્યું, જો આ ટીવી પર લાઇવ થઇ રહ્યું છે, તો આ ખોટું છે. આ માત્ર સરકારના સમર્થનથી થઇ શકે છે, આ માની ન શકાય તેવું છે.
What we are seeing on
Live TV is shocking and horrifying. Masked men enter JNU hostels and
attack students.
What is the Police doing? Where is the Police Commissioner?
કોંગ્રેસ નેતા શશિ થરૂરે લખ્યું, આ માન્યમાં ન આવે તેવું છે. આ જર્મની વાળી ચાલ છે. આ 1930ના જર્મનીથી છે 2020ના ભારતથી નથી. મેં તેને રોકવા માટે અધિકારીઓને અપીલ કરી છે. તેઓ લોકતંત્રને નષ્ટ કરી રહ્યા છે.
જ્યારે, લેફ્ટના વિદ્યાર્થી એકમને આ હુમલાનો આરોપ એબીવીપી પર લગાવ્યો છે. હુમલા બાદ જેએનયૂ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઇશી ઘોષે કહ્યું કે, મને માસ્ક પહેરેલા ગુંડોએ ખરાબ રીતે માર માર્યો, મારું લોહી વહી રહ્યું છે. મારી સાથે મારપીટ કરવામાં આવી.