અગિયાર વર્ષનો દુષ્કાળ હોવાથી આ જંગલમાં કોઈ પણ જગ્યાએ જળ ન હતું.
મોડાસર ગામે આવેલ અત્રેશ્વર મહાદેવનો અનેરો મહિમા
અત્રીઋષિએ શિવનું તપ કર્યું હતું
દુકાળમાં પત્ની અનસુયાજીએ તપ કરી ગંગાજીને પ્રગટ કર્યા
શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધનાનો અવસર. શિવમંદિરોમા શિવની આરાધના માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. ત્યારે આજે તમને એવા શિવલિંગ અને એવી ગાથાનો મહિમા આપીશું કે તમે પણ કહેશો શિવજી તમે અત્ર તત્ર સવત્ર છો.
અત્રીઋષિએ શિવનું તપ કર્યું હતું,
અમદાવાદ જિલાના સાણંદ તાલુકાના મોડાસર ગામે આવેલ અત્રેશ્વર મહાદેવનું મંદિર પવિત્ર અને દર્શનીય એવું યુગો પહેલાનું શિવ મંદિર આવેલું છે...આ લિંગપ્રગટ્યનો ઉલ્લેખ શિવપુરાણમાં થયા હોવાનું ગામલોકો કહી રહ્યા છે...ત્યારે મોડાસર ગામમાં આવેલા પ્રચીન શિવ મદિર વિષે એમ કહેવાય છેકે, પૂર્વે અત્રીઋષિએ શિવનું તપ આ ભૂમિ પર કર્યું હતું, ત્યારે અત્રીઋષિના પત્ની સતી અનુસૂયા માતા તેમની સેવામાં રહેલા તે વખતે અગિયાર વર્ષનો દુકાળ હોવાથી આ જંગલમાં કોઈ પણ જગ્યાએ જળ ન હતું. અત્રીઋષિએ સમાધિ લગાવી અને સમાધિમાં જોયું તો ગંગાજીની સાથે લિંગ સ્વરૂપે શિવજી પણ પ્રગટ થયેલા હતા...આ પ્રાગટ્યલિંગને અત્રેશ્વર મહાદેવના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અત્રીઋષિ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા અને આ લિંગ તેમજ ગંગાજી ગુપ્ત રહ્યા. મહાદેવ અત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અને તેની પૂજા સ્થાનિક પુજારી રાવલ નીતિનભાઈનો પરિવાર કરી રહ્યો છે.
અનસુયાજીએ તપ કરી ગંગાજીને પ્રગટ કર્યા અને અત્રીઋષિ તપમાંથી જાગૃત થયા
જો કે આજે પણ શિવ મદિર પાસે આવેલા તળાવને બાણગગા તળાવ તરીકે ઓળખાય છે.જો કે તળાવની રચના પણ બાણ આકારની છે. ત્યારે બાણગગ અગે સ્થાનિકો જણાવે છેકે,માતા અનસુયાએ પતિદેવની સેવા માટે જળની જરૂરિયાત પડવાથી માતા અનસુયાએ તપ કરી ગંગાજીને પ્રગટ કરેલા જયારે અત્રીઋષિ તપમાંથી જાગૃત થયા ત્યારે સતી પાસે જળ માંગ્યું ત્યારે સતી અનુસૂયા માતાએ પ્રગટ કરેલા ગંગાજીમાંથી સતીએ જળભરી પોતાના સ્વામીને આપ્યું. આ જળ જોઈ અત્રીઋષિ ખુબ આનંદ અને ઉલ્લાસમાં આવી ગયા અને સતીએ પૂછ્યું આ જળ તમે ક્યાંથી લાવ્યા ત્યારે સતીએ પોતે કરેલા તપથી ગંગાજીને પ્રગટ કર્યા તેવું તેમના સ્વામીને કહ્યું હતું...આજે આ તળાવમાં ગામની બહેનો અને સમા પાંચનો વ્રત કરીને બાણગાગમાં સ્નાન કરીને ગગા સ્નાનનો મહિમા ગણગણે છે.
શ્રવણ માસ અને પૂનમનું વિશેષ મહત્વ
મહાદેવ અત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાતા મોડાસર ખાતે શિવભકતો અપાર શ્રધ્ધા સાથે દર્શનાર્થે આવે છે.શ્રાવણ માસ અને પૂનમે મંદિરમાં વિશિષ્ટ પૂજન અર્ચન થાય છે, સાથે સાથે 108 દીપક પ્રજ્વલિત કરીને ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. ગામલોકો તેમજ આસપાસના શિવભક્તો અહી ભક્તિ કરી અનેરા આનંદની અનુભૂતિ કરે છે. આજે પણ દુર દુરથી લોકો ભોળા નાથને રીઝવવા આવે છે, મોડાસર ગામમાં બિરાજેલ અત્રેશ્વર મહાદેવ તેમની દ્વારે આવેલા દરેક શિવભકતોની મનોકામના પૂર્ણ કરે છે.