શું 2000 રૂપિયાના નોટને સિસ્ટમમાંથી હટાવવાની તૈયારી ચાલી રહી છે. કેમકે એટીએમથી હવે 2,000ની જગ્યાએ 500ની નોટ વધારે નીકળી રહ્યી છે. ભારતીય રિઝર્વ બેન્કે ગત વર્ષે માહિતી અધિકાર (RTI) હેઠળ માંગવામાં આવેલી જાણકારીના જવાબમાં કહ્યું હતું કે કેન્દ્રીય બેન્કે 2,000ના નોટનું છાપકામ બંધ કરી દીધું છે.
એટીએમથી હવે 2,000ની જગ્યાએ 500ની નોટ વધારે નીકળી રહ્યી છે
રિઝર્વ બેન્કે RTIના જવાબમાં કહ્યું હતું, કેન્દ્રીય બેન્કે 2,000ના નોટનું છાપકામ બંધ કરી દીધું છે
ઇન્ડિયન બેન્કે કહ્યું, તેણે પોતાના એટીએમમાં 2000ની નોટ નાંખવાનું બંધ કરી દીધું છે
જોકે, નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી એ સમાચારોનું ખંડન કર્યું, જેમા દાવો કરવામાં આવી રહ્યો છે કે બેન્ક ધીરે-ધીરે એટીએમમાં 2000ની નોટ ઓછા કરી રહી છે.
નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે જ્યાં સુધી મારી જાણકારી છે, આ પ્રકારના કોઇ નિર્દેશ આપવામાં આવ્યા નથી. સૂત્રોનું કહેવું છે કે બેન્કે ખુદ જ પોતાના એટીએમમાં નાની નોટ નાંખવાનું શરૂ કરી દીધું છે જેથી ગ્રાહકોને સુવિધા મળે. કેટલીક બેન્કોએ પોતાના એટીએમને નાની નોટોના હિસાબે સમાયોજિત કરવાનું શરૂ કરી દીધું.
2000ની નોટ માટે સ્પેસ હટાવવાની તૈયારી
એટીએમ મશીનમાં અલગ-અલગ નોટની સાઇઝની હિસાબે સ્પેસ હોય છે. એવા સમાચાર મળ્યા છે કે 2000ની નોટ માટે હવે સ્પેસ ખતમ કરવામાં આવી રહી છે. એ સ્પેસનો ઉપયોગ 100 અને 200 રૂપિયાની નોટને ભરવા માટે કરવામાં આવશે.
ઇન્ડિયન બેન્કે 2000ની નોટ નાંખવાનું બંધ કર્યું
જાહેર ક્ષેત્રની ઇન્ડિયન બેન્કે કહ્યું છે કે તેણે પોતાના એટીએમમાં 2000ની નોટ નાંખવાનું બંધ કરી દીધું છે. સૂત્રોનું કહેવું છે કે 2000ની નોટના છુટ્ટા કરાવવા ઘણા મુશ્કેલ હોય છે. એવામાં બેન્કોએ એટીએમમાં 2000ની નોટ નાંખવાનું બંધ કરી દીધું છે.
રિઝર્વ બેન્ક દ્વારા આરટીઆઇ પર આપેલ જવાબમાં કહેવામાં આવ્યું છે કે 2016-17ના દરમિયાન 2000 રૂપિયાના 354.29 કરોડ નોટ છાપવામાં આવ્યા. જોકે, 2017-18માં આ સંખ્યા ઘટીને 11.15 કરોડ અને 2018-19માં 4.66 કરોડ પર આવી ગઇ. તેનાથી સંકેત મળે છે કે મોટા મૂલ્યના 2000ની નોટ કાયદાકીય ચલણ બની રહેશે, પરંતુ ધીરે-ધીરે તેને હટાવવામાં આવશે.