દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે. કોરોના સંકટના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવાનું આહ્વાહન કર્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવું છે કે આ સમય આપત્તિને અવસરમાં બદલવાનો છે. એવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ છેલ્લાં 4 દિવસથી સરકાર દ્વારા લેવાયેલ વિવિધ નિર્ણયોની જાણકારી આપી રહ્યા છે ત્યારે આજે નાણામંત્રીએ શ્રમિકો માટે મોટી જાહેરાત કરતા મનરેગામાં 40 હજાર કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી છે. ત્યારે જાણો 20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજનો સંપૂર્ણ હિસાબ.
નાણામંત્રીએ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજમાં વિવિધ સેક્ટરને કરી મદદ
આજે મનરેગામાં વધારાના 40 હજાર કરોડ ફાળવવામાં આવ્યા
MSMEs અને પાવર સેક્ટરને 5.94 લાખ કરોડની મદદ
નાણામંત્રીએ આપેલ જાણકારી મુજબ પીએમ ગરીબ કલ્યાણ યોજના જે હેઠળ ગરીબોને મફત અનાજ અને રોકડ રૂપિયા આપવા માટે સરકારે 1.92 લાખ કરોડ રૂપિયાનાં નાણાની મદદ કરી. આ સેવાય ટેક્સમાં છૂટના કારણે 7800 કરોડ રૂપિયા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં 15 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી.
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 17, 2020
દેશમાં લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો જે સૌથી વધુ રોજગારી આપી છે તે ક્ષેત્રને મદદ આપવા માટે સરકારે કુલ 3 લાખ કરોડ રૂપિયાનાં ગેરંટી વગરની લોનની જાહેરાત કરી. કારોબારીઓને મદદ મળે તે માટે ઇપીએફઓમાં 2800 કરોડ રૂપિયાનું અંશદાન આપવામાં આવ્યું. ટીડીએસ/ટીસીએસમાં 50 હજાર કરોડ રૂપિયા કાપવામાં આવ્યા. આમ પહેલાં પેકેજમાં કુલ 5 લાખ 94 હજાર કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરવામાં આવી.
બીજા ચરણમાં 8 કરોડ પ્રવાસી શ્રમિકોના ભોજન માટે 3500 કરોડ રૂપિયા, ફેરીયાવાળાઓ માટે 10 હજારની ઉધાર યોજના માટે, હાઉસિંગ સ્કીમમાં 70 હજાર કરોડની સબસીડી અને નાબાર્ડના માધ્યમથી 30 હજાર કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી અને અન્ય સહાયના કુલ મળીને 3.10 લાખ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી.
ત્રીજા ચરણમાં ફૂડ માઈક્રો એન્ટરપ્રાઈઝ માટે 10 હજાર કરોડ, મત્સ્ય સંપંદા યોજના માટે 20 હજાર કરોડ ફાળવામાં આવ્યા. ટોપ ટૂ ટોટલ માટે 500 કરોડ અને કૃષિ ક્ષેત્ર માટે 1 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરવામાં આવી. આ સેવાય પશુપાલન, હર્બલ ખેતી અને મધમાખી પાલન માટે નાણા આપવામાં આવ્યા. કુલ 1.50 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી.
ક્યાં ખર્ચ
કેટલો ખર્ચ ( રૂપિયામાં )
પીએમ ગરીબ યોજના, સ્વાસ્થ્ય અને ટેક્સછૂટ
1.92 લાખ કરોડ
MSMEs અને પાવર સેક્ટરને મદદ
5.94 લાખ કરોડ
શ્રમિકો અને કૃષિ ક્ષેત્રે મદદ
3.10 લાખ કરોડ
મત્સ્ય-મધમાખી પાલન, માઈક્રો એગ્રી ઇન્ફ્રા
1.5 લાખ કરોડ
વીજીએફ, મનરેગા
48,100 કરોડ
RBI તરફથી જાહેરાત
8 લાખ કરોડ
કુલ
20 લાખ 97,053 કરોડ
હવે ચોથા દિવસે સરકારે આધારભૂત સુધારાઓની જાહેરાત કરી. જેમાં 40 હજાર કરોડ રૂપિયા મનરેગામાં આપવામાં આવ્યા જેથી શહેરોમાંથી ગ્રામીણ ઇલાકામાં જઈ રહેલા શ્રમિકોને રોજગાર મળી રહે તે માટે મદદ મળશે. રિઝર્વ બેંકે લિક્વિડીટી માટે 9 લાખ કરોડના ઉપાયોની જાહેરાત કરી છે, જેનું વાસ્તવિક પ્રભાવ 8 લાખ કરોડ રૂપિયા છે.