મોદી સરકારે એક પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમને નોટીફાઈ કરી હતી. મોટા ભાગની દવાઓને API કે અન્ય રીતે ચીનથી આયાત કરવામાં આવી રહી છે. હવે ભારતમાં સ્વદેશી સ્તરે દવાઓના મહત્વપૂર્ણ શરૂઆતી પદાર્થ અને એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સના ઉત્પાદનને વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. 3 જૂનના રોજ VtvGujaratiની ઈ કોન્ક્લેવ યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે હવે 53 વિદેશી વસ્તુઓની પર ભારતે આધાર રાખવો પડશે નહીં.
હાલમાં જ ભારતે 53 દવાઓના ઉત્પાદન મુદ્દે આત્મનિર્ભર બનવાનો પ્લાન તૈયાર કર્યો છે. મોદી સરકારે તેને માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમને નોટીફાઈ કરી હતી. હાલમાં આવી મોટા ભાગની દવાઓના એપીઆઈ કે અન્ય તત્વો ચીનથી આયાત કરવામાં આવે છે.
સરકાર નવી સ્કીમથી ચીનને મોટું નુકસાન
સરકાર નવી સ્કીમથી ચીનને મોટું નુકસાન પણ પહોંચાડશે અને સાથે ભારત આ કિસ્સામાં આત્મનિર્ભર બનશે. આ સ્કીમના આધારે ભારતમાં સ્વદેશી સ્તરે આ દવાઓની મહત્વપૂર્ણ શરૂઆત અને એક્ટીવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સના ઉત્પાદનને વેગ આપવા માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન આપવામાં આવશે.
2 જૂનથી 4 મહિના માટે લાગૂ પડશે યોજના
આ યોજના 2 જૂનથી આવનારા 4 મહિના માટે કામ કરશે અને તેના આધારે રોકાણકારો કોઈ પણ 53 ડ્રગ ઈન્ટરમીડિએટરી અને ડ્રગના ઉત્પાદનના નવા કારખાનાને સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરશે. આ દવાઓને મુશ્કેલીથી ભારતમાં આયાત થાય છે અને ખાસ કરીને ચીનથી આયાત કરવી પડે છે. આ 53 દવાઓના લિસ્ટમાં એવા પ્રમુખ ઈન્ગ્રેડિયન્ટ્સ સામેલ છે જેનાથી પેરાસીટેમોલ, એસ્પ્રિન, મેટફૉમિન, એટોરવેસ્ટાટિન જેવી દવાઓ સામેલ છે. સરકારની નીતિ છે કે જીવનરક્ષક દવાઓ અને અન્ય મહત્વપૂર્ણ દવાઓના કેસમાં ચીન પર નિર્ભરતા ોછી હોય અને દેશ આત્મનિર્ભર બને.
આવી છે સરકારની યોજના
આ યોજનાના આધારે ઉત્પાદકોને પહેલા 4 વર્ષ સુધી સરકાર વાર્ષિક વેચાણના આધારે 20 ટકા ભાગ પ્રોત્સાહનના રૂપમાં આપશે. આ પછી પાંચમા અને છઠ્ઠા વર્ષમાં આ પ્રોત્સાહન ક્રમશઃ 15 અને 5 ટકા રહેશે. કેમકિસ સિંથેસિસ થતા ઉત્પાદનો પર 5 વર્ષ સુધીના વેચાણના 10 ટકા બરોબર પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર આ પ્રોત્સાહન પર લગભગ 6940 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ પછી વધારે માહિતી ઝડપથી જાહેર કરવામાં આવશે.