હાલમાં જ કાર્ડ ક્લોનિંગના કેટલાક કિસ્સા સામે આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો સામેલ હતા. વર્ષ 2018-2019માં દેશભરમાં ફ્રોડના કિસ્સા વધીને 980 થયા હતા. આ પહેલાં આ કિસ્સાની સંખ્યા 911 હતી.
એટીએમ સાથેની છેતરપીંડીને રોકવા માટે દિલ્હી સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC)એ કેટલાક ઉપાયો આપ્યા છે. કમિટીએ 2 એટીએમ ટ્રાન્ઝેક્શનની વચ્ચે 6થી 12 કલાકનો સમય રાખવાનું વિચાર્યું છે. જો આ પ્રસ્તાવ સ્વીકારી લેવામાં આવશે તો તમે નિર્ધારિત સમય સુધી તમારા એકાઉન્ટથી રૂપિયા કાઢી શકશો નહીં. જો કે આ પ્રસ્તાવ હજી પાસ થયો નથી.
18 બેંકના પ્રતિનિધિઓ સાથે થઈ બેઠક
દિલ્હી SLBCના સંયોજક અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના એમડી અને સીઈઓ મુકેશ કુમાર જૈને કહ્યું કે એટીએમથી થનારી છેતરપીંડી રાતના સમયે એટલે કે અડધી રાતથી લઈને સવાર સુધીના સમયમાં વધારે બને છે. આ સમયે જરૂરી છે કે એટીએમની લેવડદેવડ માટે એક નિયમ બનાવી દેવામાં આવે.
વધી રહ્યા છે એટીએમ ફ્રોડના કિસ્સા
વર્ષ 2018-2019ના સમયમાં દિલ્હીમાં 179 એટીએમ ફ્રોડ કેસ નોંધાયા છે. તો મહારાષ્ટ્ર જે આ બાબતમાં પહેલાં નંબરે છે તેમાં 233 કિસ્સાઓ બન્યા છે. હાલમાં જ કાર્ડ ક્લોનિંગના કિસ્સા પણ વધી રહ્યા છે.જેમાં વિદેશની નાગરિકોની સંખ્યા વધી રહીછે. 2018-2019માં દેશભરમાં કુલ 980 કિસ્સા બન્યા છે અને પહેલાં આ સંખ્યા 911ની હતી.
અનેક સિક્યોરિટી ફીચર પર થઈ વાત
બેંક પણ આ બાબતે અનેક ઉપાયો આપી રહી છે. જેમકે જ્યારે ખોટી રીતે એકાઉન્ટમાંથી રૂપિયા કાઢવામાં આવે ત્યારે અકાઉન્ટ હોલ્ડરને ઓટીપી મોકલવામાં આવે. આ સિસ્ટમ ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી થતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની જેમ કામ કરશે. આ સિવાય બેંકર્સે એટીએમ માટે સેંટ્રલાઈઝ્ડ મોનિટરિંગ સિસ્ટમની વાત કરી છે. જે OBC, SBI, PNB, IDBI બેંક અને કેનેરા બેંકમાં પહેલેથી લાગૂ કરવામાં આવી છે.