ઘણી વખત એવુ થતુ હોય છે કે ATMમાંથી રોકડ નીકાળ્યે છીએ અને ખાતામાંથી રૂપિયા કપાય છે પરંતુ હાથમાં રૂપિયા નથી આવતા. આવુ કદાચ તમારી સાથે પણ થયુ હશે. એવામાં તમે ચોક્કસથી ધબરાઇ જાઓ છો આવી પરિસ્થિતિમાં ટેન્શન કરવાની જરૂર નથી, પરંતુ સમજીદારીપૂર્વક કામ કરવાની જરૂર છે, કેમકે તમે એ વાતને લઇને નિશ્ચિત રહો કે તમારા રૂપિયા ક્યાય ગયા નથી, તમને તમારા રૂપિયા મળી જશે. જાણો કેવી રીતે..
સૌથી પહેલા તમને જણાવી દઇએ કે, RBIના નિયમ અનુસાર, જો તમે તમારી બેંક અથવા તો કોઇ બીજી બેંકના ATMમાંથી રૂપિયા નીકાળ્યા છે અને ખાતામાંથી રૂપિયા કપાઇ જાય છે પરંતુ તમને રોકડ મળતા નથી તો આ રૂપિયા ચોક્કસથી ખાતામાં આવી જશે. પરંતુ આ માટે કેટલીક શરતો છે.
- ATMમાંથી રૂપિયા નીકાળતા સમયે પૈસા કપાઇ જાય અને પૈસા ના મળે તો આ સ્થિતિમાં સૌથી પહેલા કામ તમારે સંબંધિત બેંકમાં તેની જાણકારી આપવાની રહેશે. જો બેંક બંધ હોય તો બેંકના કસ્ટમર કેર નંબર પર કૉલ કરવાનો રહેશે.
- ટ્રાન્જેક્શન ફેલ થયાની ફરિયાદ પછી બેંક 1 અઠવાડિયાની અંદર રૂપિયા પરત કરશે અથવા તો ફેલ થવાનું કારણ જણાવશે, પરંતુ આ માટે જરૂરી છે કે તમે બેંકને ટ્રાન્જેક્શન ફેલ થવાની સ્લિપ દેખાડો અને સ્લિપ ના હોય તેવી સ્થિતિમાં બેંક સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાશે.
- જો ટ્રાન્જેક્શન ફેલ થવાની સ્થિતિમાં ટેન્શન કરવાની જરૂર નથી. તમે ઓછામાં ઓછા 24 કલાકની રાહ જોવી પડશે જો આ દરમિયાન તમારા ખાતામાં રૂપિયા ના આવે તો બેંકની બ્રાન્ચમાં જઇને લિખિતમાં ફરિયાદ કરવાની રહેશે. આ ફરિયાદના 1 અઠવાડિયાની અંદર તમારા ખાતામાં રૂપિયા પરત આવી જશે અને જો આમ ના થાય તો બેંક તમને દરરોજ 100 રૂપિયા ફાઇનના રૂપમાં આપશે.