જો કોઇ ગ્રાહકને 2000 રૂપિયાની નોટ જોઇએ છીએ, તો પછી ભવિષ્યમાં આ માત્ર બેંક શાખાઓમાં મળશે. 2000 રૂપિયાની નોટની જગ્યા બેંક એટીએમમાં માત્ર 500, 200 અને 100 રૂપિયાની કરંસી નોટોની સંખ્યાને વધારશે કારણ કે લોકોને કોઇ પ્રકારની સમસ્યા ના થાય.
એસબીઆઇ સહિત ઘણી સરકારી અને ખાનગી બેંકોએ એની શરૂઆત કરી દીધી છે
એટીએમમાં વધારેમાં વધારે 500, 200 અને 100 રૂપિયાની નોટ રખાશે
બેંકોના એટીએમમાં જલ્દીથી જ 2000 રૂપિયાની નોટ મળવાની બંધ થવા લાગશે. આરબીઆઇ દ્વારા એનું છાપકામ બંધ થયા બાદ હવે ભારતીય સ્ટેટ બેંક સહિત ઘણી બેંકોએ એની કવાયત શરૂ કરી દીધી છે. જો કોઇ ગ્રાહકને 2000 રૂપિયાની નોટ જોઇએ છીએ, તો પછી ભવિષ્યમાં આ માત્ર બેંક શાખાઓમાં મળશે. 2000 રૂપિયાની નોટની જગ્યા બેંક એટીએમમાં માત્ર 500, 200 અને 100 રૂપિયાની કરંસી નોટોની સંખ્યાને વધારશે કારણ કે લોકોને કોઇ પ્રકારની સમસ્યા ના થાય. જો કે સમગ્ર કવાયત થવામાં ઓછામાં ઓછો બે વર્ષનો સમય લાગશે.
નાના શહેરોથી કરી શરૂઆત
એસબીઆઇ સહિત ઘણી સરકારી અને ખાનગી બેંકોએ એની શરૂઆત કરી દીધી છે, હાલ નાના શહેરો અને કસ્બામાં મોજૂદ એટીએમમાં આ 2000 રૂપિયાની નોટ મળતી રહેશે. આ તમામ કાર્ય આરબીઆઇના દિશા નિર્દેશ હેઠળ કરવામાં આવી રહી છે.
કેમકે ના ફેલાય અફવા
2000 રૂપિયાની નોટને એટીએમથી હટાવવા પર આ અફવા ફેલાઇ શકે છે, બેંક આવનારા દિવસોમાં એનું પ્રચલન પણ બંધ કરી દેશે. પરંતુ એવું નથી. એક ખાનગી બેંકથી જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આરબીઆઇએ બેંકોથી એટીએમમાં 2000 રૂપિયાને હટાવવા પર તબક્કાવાર રીતથી કામ કરવા માટે કહ્યું છે. બેંકોને કહેવામાં આવ્યું છે કે એટીએમમાં વધારેમાં વધારે 500, 200 અને 100 રૂપિયાની નોટ રાખવામાં આવે, જેનાથી લોકોને કોઇ પ્રકારની સમસ્યા થાય નહીં, તહેવારની સિઝનની સમાપ્તિ બાદ આ કાર્યમાં ઝડપ આવશે. આવું એટલા માટે કારણ કે હાલ 2000 રૂપિયાની નોટ વધારે નિકળશે.
એટીએમમાં 2000ની નોટ નિકળવાની પરેશાની
એટીએમમાં 2000 રૂપિયાની નોટ નિકાળવા પર ઘણા ગ્રાહકોને પરેશાની થતી હતી. આવું એટલા માટે કારણ કે આ નોટનો છુટ્ટા મળવાની ખૂબ સમસ્યા થાય છે. જો કે મોટી ચુકવણી કરવા માટે 2000 રૂપિયાની નોટ ખૂબ ઓછી આવે છે. એટીએમથી 2000 રૂપિયાની નોટ નીં મળવાથી વેપારીઓને ખૂબ સમસ્યાનો સામનો કરવો પડશે, કારણ કે નાની કરંસી નોટથી ચુકવણી કરવા માટે એમને નાની નોટોની સંખ્યા વધારવી પડશે.
બંધ નહીં થાય પ્રચલન
બેંક અધિકારીઓ પ્રમાણએ આરબીઆિએ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટનું પ્રચલન બંધ કરવામાં આવશે નહીં. આ નોટ આગળ પણ ચાલતી રહેશે. એટીએમની જગ્યાએ કોઇ પણ ગ્રાહક એમને બેંક શાખાઓથી લઇ શકે છે. હાલ નાના શહેરોમનાં મોજૂદ એટીએમમાં પૈસા નાંખનાર કંપનીઓને પણ એટીએમથી 2000 રૂપિયાની નોટના બોક્સ નિકાળવા માટે કહેવામાં આવ્યું છે.
એસબીઆઇએ અહીંયાથી કરી શરૂઆત
એસબીઆઇએ ઉત્તર પ્રદેશના કાનપુર મંડલા ઉન્નાવ જિલ્લાથી એની શરૂઆત કરી દીધી છે. હવે તમને એસબીઆઇના એટીએમથી 2000 રૂપિયાની નોટ મળશે નહીં. મોટી નોટ ધીમે ધીમે બંધ થશે. ઉન્નાવના સ્ટેટ બેંકના ચીફ મેનેજર સુનીલ કુમારે જણાવ્યું કે આશરે એક વર્ષથી 2000ની નોટ એસબીઆઇના એટીએમમાં નાંખવામાં આવી રહ્યા નથી. હવે એટીએમ મશીનોમાં લાગેલી 2000ની નોટ રાખવાના બોક્સને હાલ હટાવવામાં આવી રહ્યું છે કારણ કે અન્ય નોટ રાખી શકાય.