આવનારા સમયમાં ATM મશીનમાંથી પૈસા ઉપાડવા મોંઘું થઇ શકે છે. દેશના ATM ઓપરેટ્સ એસોસિએશને ભારતીય રિઝર્વ બેંક(RBI)ને ઇન્ટરચેન્જ ફી વધારવાની માગ કરી હતી. એસોસિએશનનું કહેવું છે કે, ATM ચલાવનાર કંપનીને કોઇ ફાયદો થઇ રહ્યો નથી, એટલા માટે નાણા ઉપાડનાર ગ્રાહકો પર લાગુ થતાં ઇન્ટરચેંજ ફી વધારવાની જરૂર છે.
ATM મશીનમાંથી પૈસા ઉપાડવા થશે શકે મોંઘા
ATM ચલાવતી કંપનીઓએ ઇન્ટરચેન્જ ફી વધારવાની કરી માગ
ટૂંક સમયમાં લેવાઇ શકે નિર્ણય
એટીએમ મશીન ચલાવનાર આ કંપનીઓનો તર્ક છે કે, RBIના સુરક્ષા માનાંકોનું પાલનમાં વધારો અને મેઇન્ટેન્સના કારણે મશીન ચલાવવા માટેના ખર્ચમાં વધારો થયો છે. જેના કારણે આ ઇન્ટરચેન્જમાં વધારો કરવો જરૂરી બન્યો છે.
ઇન્ટરચેંજ ફી પર ટ્રાંઝેક્શન ફી હાલ 15 રૂપિયા છે
આરબીઆઈએ ગ્રાહક દીઠ મફત ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા પાંચ અને ઇન્ટરચેંજ ફી પર ટ્રાંઝેક્શન પર 15 રૂપિયા નક્કી રાખ્યા છે. એટીએમ ઇન્ડસ્ટ્રી અથવા CATMi કહે છે કે કંપનીઓને આ વ્યવસાય ચલાવવા માટે આ રકમ પર્યાપ્ત નથી.
કંપનીઓને સતત થઇ રહ્યું છે નુકસાન
13 ફેબ્રુઆરીએ આરબીઆઈના વરિષ્ઠ અધિકારીને મોકલેલા પત્ર મુજબ, "કંપનીઓને સતત નુકસાન એટીએમ વ્યવસાયની સધ્ધરતાને અસર કરી રહ્યું છે, જેના કારણે નવા એટીએમ લગાવવાની ગતિ પણ ધીમી પડી છે."
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ તમામ બાબતો વચ્ચે RBI તેની આર્થિક સ્થિતિ પર ધ્યાન આપીને સુરક્ષાના વિવિધ ઉપાયોનું પાલન કરવાની માગણી કરી હતી. જેનાથી આ ક્ષેત્રમાં કામ કરનાર કંપનીઓ પર પ્રતિકૂળ અસર પડી રહી છે.