આજથી ATM, બેન્કિંગ, ચેકબુક, શેર માર્કેટ, પોસ્ટ વિભાગ, રાંધણ ગેસ આદિ અનેક ક્ષેત્રે મોટા ફેરફારો આવી રહ્યા છે. આ માહિતી જાણવી તમારા માટે અત્યંત જરૂરી
1 ઓક્ટોબરથી બદલાઈ જશે નિયમ
Debit Card અને Credit Card સાથે જોડાયેલા નિયમો બદલાશે
ગ્રાહકો પર થશે આવી અસર
New Credit-Debit Card Rule
બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટર સાથે જોડાયેલા અનેક નિયમ પહેલી ઓક્ટોબરથી બદલાઈ જશે. ત્રણ બેંકોની ચેક બુક બદલવાની સાથે જ ક્રેડિટ, ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમ પણ બદલાશે. ભારતીય રિઝર્વ બેંકે 1 ઓક્ટોબર, 2021થી કોઈના બેંક એકાઉન્ટથી ઓટો-ડેબિટ ફેસિલિટી માટે કેટલાક નવા સિક્યોરિટી ફીચરના ઉપયોગને ફરજિયાત બનાવી દીધાં છે.
ઑટો ડેબિટ : ગ્રાહકોની મંજૂરી જરૂરી
ઓક્ટોબરથી નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાની છે. આ નિયમ હેઠળ બેંકો અને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ જેવા કે પેટીએમ-ફોન પે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સને હપ્તા અથવા બિલના પૈસા ડિડક્ટ કરતા પહેલાં દર વખતે પરમિશન લેવી પડશે. તેમને પોતાની સિસ્ટમમાં એવા ફેરફાર કરવાના છે કે એકવાર પરમિશન આપવામાં આવે તો દર વખતે પૈસા આપોઆપ કપાય નહીં.
શેરબજાર
સેબીએ ડીમેટ અને ટ્રેન્ડિંગ ખાતાધારકોને KYC અપડેટ કરવા માટે કહી દીધું છે. જો 30 તારીખ સુધી અપડેટ નહી કરવામાં આવે તો ખાતાધારક ટ્રેડિંગ નહી કરી શકે.
1 ઓક્ટોબરથી ડીમેટ ખાતા માટે નવા નિયમો
સેબી દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, 1 ઓક્ટોબરથી નવા વેપાર અને ડીમેટ ખાતા ખોલનારાઓને પણ નોમિનેશનનો વિકલ્પ આપવામાં આવશે, જો કે આ માત્ર એક વિકલ્પ હશે, નામાંકન વગર ટ્રેડિંગ ખાતું ખોલી શકાય છે. સેબીએ નોમિનેશન ફોર્મનું ફોર્મેટ બહાર પાડ્યું છે. જો કોઈ રોકાણકાર ડીમેટ અને ટ્રેડિંગ ખાતું ખોલતી વખતે નામાંકન કરવા માંગતો નથી, તો તેણે આ માહિતી સેબીને આપવી પડશે.
પેન્શન
પેન્શન પ્રાપ્ત કરતા લોકો માટે આ જાણવું ખાસ જરૂરી છે. 80 કે તેનાથી વધારે ઉંમરના પેન્શન લેનાર લોકોને ડિજીટલ જીવન પ્રમાણ પત્ર જમા કરવાની સુવિધા આપવામાં આવશે પરંતુ તેના માટે છેલ્લી તારીખ 30 નવેમ્બર 2021 છે.
ચૅકબૂક બંધ
ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા અને ઇલાહાબાદ બેન્કની જૂની ચેકબૂક હવે નહી ચાલે. તે અમાન્ય ગણાશે.
એટીએમ બંધ
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંકે જણાવ્યું કે ડિજિટલ બેન્કિંગ ઇનિશિયેટિવ પ્રોગ્રામને કારણે તેણે 1 ઓક્ટોબર, 2021થી એટીએમ બેન્કિંગ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. બેંકે 23 જાન્યુઆરી 2017એ નાની ફાઇનાન્સ બેંક તરીકે કામગીરી શરૂ કરી હતી. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સ્થિત બેંકનું એટીએમ અને ડેબિટ કાર્ડ અન્ય બેંકના એટીએમ પર કામ કરશે. આ સિવાય પીન જનરેશન, ફંડ ટ્રાન્સફર, મીની સ્ટેટમેન્ટ, બેલેન્સ ઈન્કવાયરી વગેરે જેવી અન્ય સેવાઓ ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ દ્વારા ઉપલબ્ધ થશે.
ઇન્ડિયા પોસ્ટ
ઇન્ડિયા પોસ્ટ 1 ઓક્ટોબરથી ATMથી જોડાયેલા ટ્રાંજેક્શન સાથેના નિયમો અને ચાર્જમાં બદલાવ કરવા જઇ રહી છે. હવે ATM અને ડેબિટ કાર્ડનો વાર્ષિક ચાર્જ 125 રૂપિયા હશે. જો તમારુ કાર્ડ ખોવાઇ જાય તો તેના માટે 300 રૂપિયા આપવાના રહેશે.
નવા નિયમો મુજબ, જે ઓટો ડેબિટ ફેસિલિટીનો ઉપયોગ કરે છે રિકરિંગ બિલ કે તેમના બેંક એકાઉન્ટથી EMIનું પેમેન્ટ કરવા માટે તેમને 1 ઓક્ટોબરથી કેટલાક ઓટો-ડેબિટ ટ્રાન્ઝેક્શન મેન્યૂઅલ કરવા પડી શકે છે. જ્યારે એક્સિક અને HDFC જેવી અનેક બેંકોએ પોતાના કસ્ટમર્સને આગામી ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન ફેલ થવાની શક્યતા વિશે પહેલાં જ અલર્ટ કરી દીધા હતા, કેટલાક પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરે હજુ સુધી RBIના નવા નિયમોનું પાલન નથી કર્યું.
HDFC બેંકના ગ્રાહકો માટે
HDFC બેંકે પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે, કસ્ટમર્સની સુરક્ષા માટે ભારતીય રિઝર્વ બેંકે કાર્ડથી પેમેન્ટ કરવા માટે નવા સુરક્ષા પગલાં રજૂ કર્યા છે. મહેરબાની કરીને ધ્યાન આપોઃ 1 ઓક્ટોબર 2021થી HDFC બેંક પોતાના ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ પર મર્ચન્ટ વેબસાઇટ/એપ પર આપવામાં આવેલી કોઈ પણ સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન (રિકરિંગ પેમેન્ટના પ્રોસેસિંગ માટે ઇ-મેન્ડેટ)ને ત્યાં સુધી મંજૂરી નહીં આપે, જ્યાં સુધી તે RBIની કમ્પ્લાયન્ટ પ્રોસેસ મુજબ નહીં હોય.
એક્સિસ બેંકના ગ્રાહકો માટે
એક્સિસ બેંકે કહ્યું કે, RBIના રિકરિંગ પેમેન્ટ ગાઇડલાઇન w.e.f. 20-09-21, અનુસાર રિકરિંગ ટ્રાન્ઝેક્શન માટે એક્સિક બેંક કાર્ડ પર સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શનને મંજૂર નહીં કરી શકાય. તમે અનઇન્ટરપ્ટેડ સર્વિસ માટે સીધો પોતાના કાર્ડનો ઉપયોગ કરી મર્ચન્ટને પેમેન્ટ કરી શકો છો.
ઇ-મેન્ડેટ શું છે?
ઇ-મેન્ડેટને પ્રોસેસ કરવા માટે RBIનું નવું ફ્રેમવર્ક, ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર RBI અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા રિકરિંગ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે 2018માં શરૂ કરવામાં આવી હતી. પહેલાં તે માર્ચ 2021થી લાગુ થવાની હતી. બાદમાં તારીખને 1 ઓક્ટોબર 2021 સુધી આગળ વધારી દીધી હતી કારણ કે અનેક સ્ટેક હોલ્ડરે લાગુ કરવા માટે વધુ સમયની માંગ કરી હતી.
ઇ-મેન્ડેટ મૂળ રીતે સ્ટેન્ડિગ ઇન્સ્ટ્રક્શનો એક સેટ છે જે બેંકો અને કોર્પોરેટ્સને કસ્ટમર્સથી વર્ચ્યુઅલી અને માનવીય હસ્તક્ષેપ વગરના પેમેન્ટ કલેક્ટ કરવાની મંજૂરી આપે છે. તે બેંકોને તમારી EMI, મ્યૂચ્યૂઅલ ફંડ SIP, ડિજિટલ સબ્સક્રિપ્શન વગેરે માટે ઓટો-ડેબિટની રિક્વેસ્ટને પ્રોસેસ કરવામાં સક્ષમ બનાવે છે.
નવા નિયમમાં શું છે?
નવા નિયમ અનુસર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI અને બીજા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI)ના માધ્યમથી કરવામાં આવેલા 5,000 રૂપિયાથી ઓછાના તમામ ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન માટે સેન્ટ્રલ બેંકે ઓથેન્ટિકેશનનું એક એડિશિનલ ફેક્ટર (AFA) ઉમેર્યું છે. બીજી તરફ, 5,000 રુપિયાથી વધુના ઓટો-ડેબિટ ટ્રાન્ઝેક્શન માટે ટ્રાન્ઝેક્શનને કસ્ટમર દ્વારા વન-ટાઇમ પાસવર્ડ (OTP)ના માધ્યમથી મેન્યુઅલી ઓથેન્ટિકેટ (પ્રમાણિત) કરવું પડશે. તેથી તમામ સ્ટેકહોલ્ડર્સને 30 સપ્ટેમ્બર, 2021 સુધી ફ્રેમવર્કને પૂરી રીતે લાગુ કરવાની જરૂર છે.
ચૂકવણીના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં બેંક ગ્રાહકને પ્રી-ડેબિટ મેસેજ અથવા ઇમેલ મોકલશે. તે ગ્રાહકને અપકમિંગ એક્સચેન્જને રિવ્યૂ કરવા અને જો તે ઈચ્છે તો રદ કરવા માટે 'અલર્ટ મેસેજ' તરીકે કામ કરશે. પ્રી-ટ્રાન્ઝેક્શન નોટિફિકેશન કાર્ડ ધારકને મર્ચન્ટનું નામ, ટ્રાન્ઝેક્શનની રકમ, તારીખ, ડેબિટનો સમય, ટ્રાન્ઝેક્શનનો રેફરન્સ નંબર, ઈ-મેન્ડેટ, ડેબિટના કારણ વિશે જાણ કરશે.
કઈ બાબતનું ધ્યાન રાખવું
ગ્રાહકોએ ખાતરી કરવી જોઈએ કે ડેબિટ/ક્રેડિટ કાર્ડ સાથે સાચો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ છે જેનો ઉપયોગ નોટિફિકેશનના અપ્રૂવલ માટે કરવામાં આવશે. જો રજિસ્ટર્ડ નંબર એક્ટિવ નથી કે અનઅવેલેબલ છે, તો તમે નોટિફિકેશન ચૂકી શકો છો અને તમારું ઓટો-ડેબિટ અટકી જશે. નોંધનીય છે કે, આ ફ્રેમ વર્ક તમામ રિકરિંગ પેમેન્ટ્સ પર લાગુ થશે.
કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 43.5 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે રેસ્ટોરન્ટ્સ અને ઢાબાઓ પર મોંઘવારીનો માર ઝીંકાય તેવી સંભાવના છે.
અગાઉ જે કમર્શિયલ સિલિન્ડર 1693 રૂપિયાંમાં દિલ્હીમાં મળતા હતા તે હવે 1736.5 રૂપિયાંમાં મળશે.
ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં જો કે કોઈ વધારો નથી થયો જેનાથી થોડી રાહત મળી છે. છેલ્લે પેલી સપ્ટેમ્બરથી 25 રૂપિયા ભાવ વધ્યા હતા માટે આ મહિને કોઈ ભાવવધારો થયો નથી જે થોડી રાહતની વાત છે પણ સામે CNG અને PNG ના ભાવ પણ વધ્યા હતા.
CNG અને PNG ના ભાવ
આજથી હવે મોટા શહેરોમાં CNG અને PNG ના ભાવ પણ વધવાના કારણે બમણો માર પડશે. સરકારે નેચરલ ગેસના ભાવ 62% ભાવ વધારો ઝીંકયો હોવાથી શહેરોમા CNG અને PNG ના ભાવમાં જંગી વધારો થાય તેવી સંભાવના છે.
ગુરુવારે સરકારે નેચરલ ગેસની કિંમતમાં 62 ટકા વધારાની જાહેરાત કરી હતી જેનો ઉપયોગ ફર્ટિલાઇઝર, વીજળી ઉત્પાદનમાં થાય છે અને આ નિર્ણય બાદ CNG અને PNG ના ભાવમાં પણ વધારો થશે એવી અટકળો છે.