આમ આદમી પાર્ટીની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી ચૂકેલા 4 ઉમેદવારોની આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી લડવાની સંભાવના છે. આ ઉમેદવારોમાં પાર્ટી પ્રવક્તા આતિશી પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્ટી જ્યાં એક તરફ 2015ના પોતાના મોટાભાગના ઉમદેવારોને ફરીથી આ ચૂંટણીમાં ઉતારી શકે છે, જ્યારે લોકસભા ચૂંટણી લડી ચૂકેલા ચાર ઉમેદવારોને પણ આવતા વર્ષે શરૂઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ઉતારવાની સંભાવના છે.
આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી લડી ચૂકેલા ચાર ઉમેદવારોને વિધાનસભા ચૂંટણીમાં ઉભા રાખશે
પાર્ટી 2015ના પોતાના મોટાભાગના ઉમદેવારોને ફરીથી આ ચૂંટણીમાં ઉતારી શકે છે
પાર્ટી પ્રવક્તા આતિશીને પૂર્વ દિલ્હીના લક્ષ્મી નગર અથવા દક્ષિણી દિલ્હીથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે
સૂત્રો અનુસાર, દિલ્હીમાં આગામી ચૂંટણીમાં, યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પાર્ટીના પ્રવક્તા, રાઘવ ચઢ્ઢા દક્ષિણી દિલ્હીના કાલકાજી અથવા મધ્ય દિલ્હીના રાજેન્દ્ર નગરથી ચૂંટણી લડી શકે છે. ચઢ્ઢા દક્ષિણી દિલ્હી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે.
તેઓએ જણાવ્યું કે, પાર્ટીની એક અન્ય પ્રવક્તા અને દિલ્હીના સરકારી સ્કૂલોમાં શિક્ષણ પ્રણાલીમાં ક્રાંતિનો શ્રેય હાંસલ કરી ચૂકેલી આતિશીને પૂર્વ દિલ્હીના લક્ષ્મી નગર અથવા દક્ષિણી દિલ્હીના જંગપુરાથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. તેઓએ પૂર્વ દિલ્હી બેઠકથી લોકસભા ચૂંટણી લડી હતી.
પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, આતિશી ઉપરાંત લોકસભા ચૂંટણીમાં ઉત્તર-પશ્ચિમ બેઠકથી લડી ચૂકેલા ગુગ્ગન સિંહને બવાનાથી ઉતારવામાં આવી શકે છે. જ્યારે ઉત્તર-પૂર્વી દિલ્હી બેઠકથી સામાન્ય ચૂંટણી લડી ચૂકેલા દિલીપ પાન્ડેને તિમારપુરથી ટિકિટ આપવામાં આવી શકે છે. જોકે, આ નામો પર પાર્ટી દ્વારા કોઇ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.