Atiq Ahmed News: સુપ્રીમ કોર્ટે માફિયા બ્રધર્સની હત્યા પર સવાલ પૂછ્યો કે, અતીક-અશરફને એમ્બ્યુલન્સમાંથી સીધા હોસ્પિટલની અંદર કેમ ન લાવવામાં આવ્યા?
યુપીનાં માફિયા અતિક-અશરફ હત્યા કેસ મામલે મોટા સમાચાર
અતિક-અશરફ હત્યા કેસની તપાસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
સુપ્રીમ કોર્ટે અતિક-અશરફ હત્યા કેસને લઈ યોગી સરકારને કર્યો સવાલ
અતીક-અશરફને એમ્બ્યુલન્સમાંથી સીધા હોસ્પિટલની અંદર કેમ ન લાવવામાં આવ્યા?
યુપીનાં માફિયા અતિક-અશરફ હત્યા કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અતિક-અશરફ હત્યા કેસની તપાસ સુપ્રીમ કોર્ટના જજની દેખરેખ હેઠળ કરાવવાની માંગ પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન આજે સુપ્રીમ કોર્ટે માફિયા બ્રધર્સની હત્યા પર સવાલ પૂછ્યો કે, અતીક-અશરફને એમ્બ્યુલન્સમાંથી સીધા હોસ્પિટલની અંદર કેમ ન લાવવામાં આવ્યા?
શું કહ્યું યુપી સરકારે ?
સુપ્રીમ કોર્ટના પ્રશ્નના જવાબમાં યુપી સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, અમે આ મામલાની તપાસ માટે એક SITની રચના કરી છે અને ભૂતપૂર્વની દેખરેખ હેઠળ એક કમિશનની રચના કરીને મામલાની તપાસ કરી રહ્યા છીએ. રોહતગીના આ નિવેદન પર અરજદારે વિક્ષેપ પાડ્યો અને કહ્યું, હું 2017 થી થયેલા એન્કાઉન્ટરોની તપાસની પણ માંગ કરી રહ્યો છું.
Supreme Court asks the Uttar Pradesh government why the vehicle carrying mafia brothers Atiq and Ashraf was not taken to the hospital directly. Uttar Pradesh govt tells the court that they have appointed a commission to look into the matter.
UP સરકાર ફાઈલ કરશે સ્ટેટસ રિપોર્ટ
રોહતગીના નિવેદનને રેકોર્ડ પર લેતા કોર્ટે યુપી સરકારને આગામી ત્રણ અઠવાડિયામાં અતીક-અશરફ હત્યા કેસ પર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટે હાલમાં આ મામલે યુપી સરકારને કોઈ નોટિસ જાહેર કરી નથી.
શું કહ્યું હતું અરજીકર્તાએ ?
અરજીકર્તાએ કહ્યું કે, અગાઉ 2020માં યુપીમાં વિકાસ દુબે નામના વ્યક્તિનું એન્કાઉન્ટર થયું હતું. તેની નોંધ લેતા કોર્ટે કહ્યું કે, હા વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયું હતું. કોર્ટે પૂછ્યું કે વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં જસ્ટિસ ચૌહાણની કમિટીના રિપોર્ટ પર સરકારે શું કર્યું? આ અંગે યુપી સરકારના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, તેની તપાસ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બીએસ ચૌહાણે કરી હતી અને વિકાસ દુબેના એન્કાઉન્ટરના મામલામાં પોલીસની કોઈ ખામી જોવા મળી નથી.