સમીર વાનખેડેના પરિવાર સાથે મુલાકાત કર્યાં બાદ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે વાનખેડેના પરિવારની સામે ષડયંત્ર ન કરવું જોઈએ. તેમણે વાનખેડે પરિવારને વિશ્વાસ અપાવ્યો કે સમીરને કોઈ નુકશાન નહીં થાય. રિપબ્લિક પાર્ટી સમીર વાનખેડેની સાથે છે.
On behalf of RPI, I'd like to tell Nawab Malik to stop conspiring to defame Sameer & his family. If he says that Sameer is a Muslim then why is he, a Muslim too, levelling allegations? Republican Party stands with them. Sameer won't be harmed: Union Min& RPI (A)'s Ramdas Athawale pic.twitter.com/0MbpNSHdLt
મુંબઈ ઝોનના નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર સમીર વાનખેડે પોતે હવે પ્રશ્નાર્થમાં છે. આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ વચ્ચે સમીર પર મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ધર્મપરિવર્તન કરવાનો અને લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે. આ બધાની વચ્ચે સમીરના પરિવારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સાથે મુલાકાત કરી છે.
મંત્રી આઠવલેને મળ્યા બાદ સમીરની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ કહ્યું હતું કે, "અમે આજે અહીં આઠવલેજીને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તે એક દલિતની બેઠક છીનવી રહ્યાં છે. અઠાવલે દલિતોની ચિંતા કરે છે, તેથી તે અમારી સાથે છે. અત્યાર સુધી નવાબ મલિકના તમામ આરોપો ખોટા સાબિત થયા છે.