અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકો માટે પોતાના ભવિષ્ય અને ખાસ કરીને વૃદ્ઘાવસ્થાને લઇને સતત ચિંતા રહેતી હોય છે. કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકોને સોશ્યલ સિક્યોરિટી આપવા માટે 2015માં અટલ પેન્શન યોજના (APY)ની શરૂઆત કરી હતી. આ યોજનામાં રોકાણ કરવુ એવા લોકો માટે ફાયદારૂપ સાબિત થશે, જેમની પાસે રિટાયરમેન્ટ પછી કોઇ વિત્તીય આધાર નથી.
નરેન્દ્ર મોદી સરકારની આ મહત્વકાંક્ષી યોજના હેઠળ તમે દરરોજ 7 રૂપિયા બચાવીને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. આ યોજના હેઠળ ઓછી આવક ધરાવતા લોકો અથવા તો ગ્રામીણ ક્ષેત્રમાં રહેનારા લોકો માટે કામની છે.
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી (NSDL)ની વેબસાઇટ અનુસાર, 18 વર્ષથી લઇને 40 વર્ષ સુધીની ઉંમરના લોકો આ યોજનામાં જોડાઇ શકે છે. જોકે આ યોજનાનો લાભ તે જ લોકો ઉઠાવી શકશે, જેઓ ઇન્કમ ટેક્સ સ્લેબની બહાર છે. આ યોજનામાં રોકાણ કરનારાઓ 60 વર્ષની ઉંમર થતા 1000 રૂપિયાથી લઇને 5000 રૂપિયા સુધીનુ નક્કી પેન્શન મળશે.
જાણીએ આ યોજના વિશે:
- અટલ પેન્શન યોજના (APY) થી જોડાવવા માટે બેંક અથવા તો પોસ્ટ ઑફિસની સાથે આધાર કાર્ડ લિંક હોવુ જરૂરી છે.
- આ યોજનાનો લાભ લેવા માટે દર મહિનાની એક નાની રકમ જમા કરાવવી પડશે. આ રકમ તે વાત પર નિર્ભર કરે છે કે તમે કેટલા વર્ષે આ યોજના સાથે જોડાવો છે અને કયા પેન્શન સ્લેબને પસંદ કરો છો. જેનો સ્પષ્ટ મતલબ છે કે, જેટલા જલ્દી તમે આ યોજનાની સાથે જોડાવો છો, તેટલો વધારો ફાયદો મળશે.
- આ યોજનામાં 18 થી 40 વર્ષ સુધીની ઉંમરના કોઇ પણ વ્યકિત જોડાઇ શકો છે તથા યોજનાનો લાભ 60 વર્ષની ઉંમર પછી મળશે. એટલે કે અટલ પેન્શન યોજનાથી જોડાવવા માટે ઓછામાં ઓછા 20 વર્ષનું યોગદાન હોવુ જરૂરી છે.
- આ યોજનામાં માસિક, ત્રિમાસિક અથવા 6 મહિનાના આધાર પર યોગદાન કરી શકાય છે.
- અટલ પેન્શન યોજના હેઠળ પેન્શનભોગીનુ જો મૃત્યુ થાય તે પછી પણ પરિવારને આર્થિક મદદ મળે છે. જો 60 વર્ષ થયા પહેલા આ યોજનાથી જોડાયેલી વ્યકિતની મૃત્યુ થાય છે તો પછી તેમની પત્ની કે પતિ આ યોજનામાં રૂપિયા જમા કરાવવાનું ચાલુ રાખી શકે છે. આ મામલામાં તેઓ દર મહિને પેન્શન પ્રાપ્ત કરી શકે છે. બીજી વિકલ્પ છે કે, જે વ્યકિતની પત્ની પતિના મૃત્યુ પછી સંપૂર્ણ રકમ માટે દાવો કરી શકે છે. જો પત્નીની મૃત્યુ થાય તો સંપૂર્ણ રકમ તેના નૉમિનીને આપવામાં આવે તેવી જોગવાઇ છે.