અટલ પેન્શન યોજના (Atal Pension Yojna- APY) ની સાથે જોડાયેલા નિયમોમાં 1 જુલાઈથી મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. મોદી સરકારે અસંગઠિત ક્ષેત્રના લોકો માટે અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. તેના આધારે તેમના ખાતામાંથી દર મહિને રૂપિયા ઓટો ડેબિટ થતા હતા. જે છેલ્લા કેટલાક મહિનાથી રોકાયા હતા. 1 જુલાઈથી આ ઓટો ડેબિટ સિસ્ટમ ફરીથી શરૂ થઈ કહી છે. કોરોના મહામારીના કારણે 11 એપ્રિલથી પેન્શન નિયામક પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ બેંકને નિર્દેશ આપ્યો છે કે તે 30 જૂન સુધી ઓટો ડેબિટ ન કરે. આ સાથે એમ પણ કહેવાયું છે કે 30 સપ્ટેમ્બર 2020 સુધી જેની પેન્શન સ્કીમ એકાઉન્ટ રેગ્યુલરાઈઝ્ડ નથી તેમની પાસેથી કોઈ પેનલ્ટી પણ લેવાશે નહીં.
અટલ પેન્શન યોજનામાં આવશે ફેરફાર
1 જુલાઈથી શરૂ થશે ઓટો ડેબિટ સિસ્ટમ
30 સપ્ટેમ્બર સુધી નહીં લાગે કોઈ પેનલ્ટી
PFRDA ની ખાસ સૂચનામાં કહેવાયું છે કે દંડનું વ્યાજ એ સ્થિતિમાં લેવાશે નહીં જ્યારે સબસ્ક્રાઈબરની પેન્શન સ્કીમ એકાઉન્ટને 30 સપ્ટેમ્બર 2020 પહેલાં નિયમિત કરી લેવામાં આવે. દંડ ત્યારે જ નહીં લેવાય જયારે એપ્રિલ 2020થી ઓગસ્ટ 2020 સુધી તમમે નોન ડિડક્ટેડ APY યોગદાનને નિયમિત APYયોગદાન સાથે 30 સપ્ટેમ્બર 2020 પહેલાં નિયમિત કર્યું છે. જો કોઈ એકાઉન્ટ હોલ્ડર આ સ્કીમમાં મોડેથી રૂપિયા ભરે છે તો તેની પાસે દંડ લેવામાં આવશે. અટલ પેન્શન યોજનાની અધિકારીક સાઈટ મુજબ પેનલ્ટીના નિયમો આ પ્રકારના છે.
આ રીતે લેવાશે પેનલ્ટી
100 રૂપિયા પ્રતિ મહિનાના યોગદાન પર 1 રૂપિયો પ્રતિ મહિનો
101-500 રૂપિયા પ્રતિ મહિનાના યોગદાન પર 2 રૂપિયા પ્રતિ મહિનો
501-1000 રૂપિયા પ્રતિ મહિનાના યોગદાન પર 5 રૂપિયા પ્રતિ મહિનો
1001થી વધુના યોગદાન પર 10 રૂપિયાની પેનલ્ટી વસૂલાશે.
18-40 વર્ષની ઉંમરનું કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે છે એકાઉન્ટ
અટલ પેન્શન યોજના કેન્દ્ર સરકારની એક સોશ્યિલ સિક્યોરિટી સ્કીમ છે. આ યોજનાના આધારે કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારાને 1 હજારથી 5 હજાર રૂપિયા પ્રતિ મહિનાનું પેન્શન આપે છે. 18-40 વર્ષની ઉંમરનું કોઈ પણ વ્યક્તિ અટલ પેન્શન યોજના એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સરકારી યોજનાની સૌથી મોટી વાત એ છે કે જેટલું જલ્દી આ યોજનામાં રોકાણ કરવામાં આવશે તેટલું વધારે ફંડ જમા થશે.
25 વર્ષની ઉંમરથી દર મહિને કેટલું રોકાણ કરવાનું રહેશે
અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા કોઈ પણ 25 વર્ષનો વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરવા ઈચ્છે છે તો ફક્ત 376 રૂપિયા પ્રતિ મહિનાનું રોકાણ કરવાનું રહેશે. દર મહિને આટલા રૂપિયા જમા કરીને 60 વર્ષની ઉંમરે 5000 રૂપિયા પ્રતિ મહિને પેન્શન મેળવી શકાય છે. આ સ્કીમમાં પેન્શનરના મોત બાદ તેમના પતિ કે પત્નીને તેનો લાભ મળી શકે છે. બાળકોને પણ આ સ્કીમનો લાભ મળી શકે છે. આ યોજનાની ખાસ વાત એ પણ છે કે તે ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80સી હેઠળ આ સ્કીમમાં રોકાણ માટે ટેક્સ છૂટને માન્ય છે.