આ યોજના સંચાલન કરનારી સંસ્થા PFRDAએ મોટાભાગે પેન્શરની સીમાને વધારવાની રજૂઆત કરી હતી, જો કે સરકારે આ વાતને ખારીજ કરી.
અટલ પેન્શન સ્કિમમાં અત્યારે 5,000 રુપિયા મળે છે.
આ પેન્શન ની રાશિ તમારા યોગદાન પર નિર્ભર કરે છે.
અટલ પેન્શન સ્કીમ ઓછી ગેરન્ટીડ સ્કીમ યોજના છે.
પેન્શન નિયામક PFRDAએ અટલ પેન્શન યોજના(APY) હેઠળ પેન્શન ની રાશિને 5,000 રુપિયાથી વધારીને 10,000 રુપિયા કરવાની રજૂઆત કરી હતી. જો કે કેન્દ્ર સરકારે આની પર અમલ કર્યુ નથી. જો કે હવે નાણાં મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર ભાગલત કરાડએ આ મુદ્દે સરકારનુ ચિત્ર સ્પષ્ટ કર્યુ છે. તેમણે કહ્યું કે અત્યારે વધારેમાં વધારે રકમ 5,000 રુપિયા છે, જેના કારણ ખાતા ધારકોને 42થી 1454 રુપિયાનુ પ્રીમિયમ ભરવાનું રહેશે. જો પેન્શન ની વધારે રાશિ વધારવામાં આવશે તો પછી પ્રીમિયમ પણ વધશે.
તેમણે કહ્યું કે સબસ્ક્રાઇબર વધારે ભાર વધશે અને તેના કારણે સરકારે નક્કી કર્યુ છે કે અટલ પેન્શન યોજના હેઠળ વધારે પેન્શન ની સીમાને વધારવામાં આવશે નહીં. હાલ અટલ પેન્શન યોજના હેઠળ 1,000, 2,000, 3,000, 4,000 અને 5,000 રુપિયાનું માસિક પેન્શન મળે છે. પ્રીમિયમ માટે કેટલી રાશિ લેવી છે તે માટે આ વાત પર નિર્ભર કરે છે કે આ યોજના સાથે જોડાવાનો સમય સબસ્ક્રાઇબરની આયુ શુ છે અને તે કેટલુ પેન્શન ઇચ્છે છે.
શું છે અટલ પેન્શન યોજના?
અટલ પેન્શન યોજનાના સંચાલન PFRDA કરે છે. જેમાં 18-40 વર્ષ સુધી કોઇ પણ ભારતીય ઇન્વેસ્ટ કરી શકે છે. તેમાં 60 વર્ષની ઉંમર સુધી પૈસા જમા કરવાના હોય છે અને ત્યાર બાદ દર મહિને એક નિશ્ચિત પેન્શન મળે છે. આ પેન્શન યોજનામાં ઇન્વેસ્ટ શરુ કરતા સમયે જ કરી ચુક્યા હોય છે, અને આ હિસાબે તમારા અંશદાન કર્યુ હોય છે. જો કોઇ ખાતા ધારકની 60 વર્ષ આયુ પહેલા મૃત્યુ થાય છે તો જમા રાશિ તેના નોમિનીને સોંપી દેવામાં આવે છે. અથવા મૃતકના જીવનસાથી જીવિત હોય તો તે આ યોજનનાને આગળ ચલાવી શકે છે.