હિંદુ ધર્મ અનુસાર મનુષ્યનું માત્ર શરીર મરે છે પરંતુ આત્મા નહીં. આત્મા એક શરીરને છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે એને જ પુન:જન્મ કહેવામાં આવ્યો છે. આમ તો પુન:જન્મ પર હંનેશા ભ્રમ રહ્યો છે કેટલાક લોકો માને છે તો કેટલાક લોકો આજે પણ શંકા કરે છે. પરંતુ ધર્મ શાસ્ત્રો અનુસાર જે મનુષ્યોના કર્મ સારા હોય છે એ મર્યા બાદ ફરીથી પુન:જન્મ લે છે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલ બિહારી વાજપેયીની પવિત્ર આત્માએ હજુ થોડા દિવસ પહેલા જ શરીર છોડ્યું. જો કે જ્યોતિષાચાર્યએ એક મીડિયાને જણાવ્યું કે અટલ જી ના મૃત્યુ સમયે એમને કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુસાર એ ફરીથી એક વખત દેવ ભૂમિ ભારતમાં પુનજન્મ ચોક્કસથી લેશે અને ફરીથી ભારત માતા માટે જીવન સમર્પિત કરશે.
ધર્મ ગ્રંથો અનુસાર એવી માન્યતા છે કે મુક્તિ માત્ર માનવ જન્મમાં જ મળે છે કહેવાય છે કે માનવ જીવન અનમોલ છે એના માટે એને 84 લાખ યોનિઓમાંથી પસાર થવું પડે છે. ત્યારે જઇને મનુષ્ય યોનિમાં જીવન મળે છે. જો કે નવો જન્મ લીધા બાદ ગત જન્મની યાદો ખૂબ જ ઓછા લોકોને રહે છે. એટલા માટે આ ઘટનાઓ ક્યારેયક જ સામે આવે છે. પુન:જન્મની ઘટનાઓ ભારત સહિત દુનિયાના ઘણા ભાગમાં સાંભળવા મળતી રહે છે.
અટલ જી અહીંયા લેશે પુનજન્મ
જ્યોતિષના કહેવા અનુસાર જો કોઇ જાતકનું મૃત્યુ હવે ઉચ્ચના શનિમાં થાય છે ક્યાંતો જન્મ કુંડળીમાં ઉચ્ચનો શનિ હોય અને એની મહાદશા ચાલી રહી હોય તો જાતકનો એક વખત પુન:જન્મ અવશ્ય થાય છે.
જે સમયે પૂર્વ પ્રધાનમંત્રી અટલ જી નું મૃત્યુ થયું ત્યારે એમની કુંડળીમાં પણ શનિ ઉચ્ચનો હતો અને શનિની મહાદશા પણ ચાલી રહી હતી. એટલા માટે એવું કહી શકાય છે કે સ્વ. અટલ જી આગામી વર્ષ 2024માં દેવ ભૂમિ ભારતની પવિત્ર ધરતી પર ઉત્તર દિશામાં એક વખત ફરીથી પુન:જન્મ લેશે અને આવતા જન્મમાં અટલજીની પવિત્ર આત્માનો પુન:જન્મ મિથુન લગ્ન અને વૃશ્વિક રાશિમાં થશે. આવતા જન્મમાં પણ એમની પુણ્ય આત્મા ખૂબ જ બુદ્ધિશાળી હશે અને પુરુષ સ્વરૂપમાં જ એમનો જન્મ પણ થશે.
શાસ્ત્રોમાં વર્ણિત કથાઓ અનુસાર સૌથી વધારે ચોંકાવનારું તથ્ય એ છે કે મનુષ્યની જીવાત્મા સાત વખત પુરુષ અથવા સ્ત્રી બનીને આ શરીર ધારણ કરે છે અને પરમાત્મા એને આ તક એના વર્તમાન જીવનના સારા અને ખરાબ કર્મો દ્વારા જ આગળનું ભાગ્ય નિર્ધારીત કરે છે.