2001માં ગુજરાતમાં આવેલા ભૂંકપે ઘણું બધુ બદલી દીધુ હતું, ત્યારે એક એવા નેતાનો ઉદય થયો અને જેણે દેશમાં રાજનીતિને બદલી દીધી
ગુજરાતમાં ભાજપ સરકારનો અસ્તિત્વ 1995માં સર્જાયો
2001માં ગુજરાતમાં આવેલા ભૂંકપે ઘણું બધુ બદલી દીધુ હતું
કેશુભાઈ પટેલના રાજીનામા બાદ નરેન્દ્ર મોદીની એન્ટ્રી
ગુજરાતમાં ભાજપ સરકારનો અસ્તિત્વ 1995માં સર્જાયો હતો. ભાજપે પૂર્ણ બહુમતથી સરકાર બનાવી અને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને બનાવ્યાં હતા. જે નિર્ણથી બે મુખ્ય ચહેરાઓની સાઈડ લાઈન થઈ હતી જેમાં પ્રથમ શંકરસિંહ વાઘેલા અને બીજા નરેન્દ્ર મોદી. જે સમય દરમિયાન થયું એવું કે, મોદીને સંગઠનના કામનું અનુભવ હતો એટલે તેમને દિલ્હી બોલાવી લીધા હતા. આ બધાની વચ્ચે 1998માં વચગાળાની ચૂંટણી થઈ અને જેમાં પણ ભાજપની જીત થઈ અને કેશુભાઈ પટેલને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 26 જાન્યુઆરી 2001માં ગુજરાતમાં આવેલા ભૂંકપે ઘણું બધુ બદલી દીધુ હતું. જે પછી રાજનીતિ હોય કે, રાજ્યની સરકાર બધુ જ ડગમગી ગયં હતું. ત્યારે ગુજરાતમાં એક એવા નેતાનો ઉદય થયો અને જેણે દેશમાં રાજનીતિને બદલી દીધી. આ પ્રખંડ નિર્ણય પૂર્વ પીએમ એટલ બિહારી વાજપેયીએ લીધો હતો.
કેશુભાઈ પટેલનું રાજીનામું
ગુજરાતમા 2001માં આવેલા ભૂંકપે સમગ્રે રાજ્યને હલાવી દીધો હતો જેમાં રાજ્ય સરકાર પણ ન બચી શકી અને તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સામે અસંતોષ ઉભો થયો અને જેના કારણે એક બે પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણને ભાજપને હારનો સામનો કરવો પડ્યો. જે સમય દરમિયાન આ તમામ પરિસ્થિતી જોતા કેશુભાઈ પટેલને રાજીનામુ આપવાની નોબત આવી. કેશુભાઈ પટેલના રાજીનામા બાદ સીએમ પદ માટે ચર્ચાઓ શરૂ થઈ અને જે નિર્ણય અટલ બિહારી વાજપેયીને લેવાનો હતો.
અટલ બિહારીએ મોદી મળવા બોલાવ્યા
સંગઠનમાં કામ કરતી વખતે નરેન્દ્ર મોદી દિલ્હીમાં રહેતા હતા. અચાનક તેમની પાસે એક ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તમને અટલ બિહારી વાજપેયી બોલવ્યા છે. મોદી ઉતાવળમાં પીએમ હાઉસ પહોંચ્યા અને અટલ બિહારી વાજપેયીને મળે છે પરંતું ત્યા સુધીમાં સ્પષ્ટ થઈ જાય છે કે ગુજરાતની મોટી જવાબદારી માટે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી છે.
મોદીને સોંપાઈ મોટી જવાબદારી
જ્યારે મોદીને ગુજરાતની કમાન સોંપવામાં આવી હતી તે સમયે વિધાનસભાની માત્ર દોઢ વર્ષની ટર્મ બાકી હતી. ભૂકંપ બાદ રાજ્ય ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યું હતું તો બીજી તરફ પાર્ટીમાં અંદરો અંદર વિરોધ થઈ રહ્યો હતો પરંતુ આ નિર્ણય તત્કાલીન પીએમનો હતો તેથી પાર્ટીના નેતા વધુ કંઈ બોલી શકે તેમ પણ ન હતું. મોદીની સામે વિપક્ષનો પણ ભારે વિરોધ હતો અને આ બધા પડકારોનો મોદીને સામનો કરવાનો હતો
જબરજસ્ત સાબિત થયા મોદી
નરેન્દ્ર મોદીને સીએમ બનાવીને અટલ બિહારી વાજપેયીએ જે દાવ ખેલ્યો હતો તે 2002ની વિધાનસભા ચૂંટણીમાં જબરજસ્ત સાબિત થયો. આ તે સમયગાળો હતો જ્યારે ગોધરામાં રમખાણો થયા હતા અને લગભગ બધા માની રહ્યા હતા કે હવે ભાજપ જીતવાની નથી પરંતુ નરેન્દ્ર મોદીએ તેને ખોટું સાબિત કરી બતાવ્યું અને માત્ર 2002 જ નહીં, 2007 અને 2012માં પણ સરકાર બનાવી અને 2014માં તો કેન્દ્રની રાજનીતિમાં કુમકુમના પગલા પાડ્યા અને તેઓ પીએમ બન્યા.