નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીનું ગુરૂવારે 93 વર્ષની વયે નિધન થયું હતું. ગુરૂવાર સાંજે પાંચ કલાકે પાંચ મિનીટે નવી દિલ્હીના એઇમ્સમાં પૂર્વ પીએમ વાજપેયીએ છેલ્લા શ્વાસ લીધા હતા. ગુરૂવારે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો જ્યાં દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શુક્રવારે ન કલાકે તેમના પાર્થિવ દેહને ભાજપના મુખ્યાલય લાવવામાં આવ્યો હતો જ્યાં સામાન્ય લોકો સહિત વીવીઆઇપી લોકોએ તેમના દર્શન કર્યા હતા.
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું પાર્થિવ દેહ સ્મૃતિ સ્થળ મુખાગ્નિ અપાઇ છે. અંતિમ યાત્રામાં ભાજપના મુખ્યાલયથી રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ સુધી ચાલી. અહીં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
- ત્રણેય સેનાના પ્રમુખોએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને આપી સલામી. - સેનાના ત્રણેય અંગોના જવાનોએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આપી સલામી.
Army Chief General Bipin Rawat Navy Chief Admiral Sunil Lanba & Air Chief Marshal Birender Singh Dhanoa pay last tribute to former PM #AtalBihariVajpayee at Smriti Sthal in Delhi pic.twitter.com/oDq4kzHl4V
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ સહિત કેટલાક મોટા નેતા સ્મૃતિ સ્થળ પહોંચ્યા.
Delhi CM Arvind Kejriwal Delhi Deputy CM Manish Sisodia Chhattisgarh CM Raman Singh Congress leaders Ghulam Nabi Azad Anand Sharma Ashok Gehlot and Raj Babbar at Smriti Sthal for the funeral of former PM #AtalBihariVajpayeepic.twitter.com/9Lvhfxj2ap