કોરોનાનું સંક્રમણ વધતા મોટી સંખ્યામાં ઈન્જેક્શનની માગ વધી છે, અમદાવાદમાં 4 સ્થળોએ રેમડેસિવિર ઈંજેક્શન મળે છે અને તમામ સ્થળોએ મોટી લાઈનો લાગી છે
અમદાવાદમાં કોરોના સંક્રમણ ચિંતાજનક સ્થિતિએ
લોકોમાં કોરોના સંક્રમણને લઇ ડરનો માહોલ
ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાગી લાઇન
અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે લાંબી લાઈનો લાગી છે. કોરોનાનું સંક્રમણ વધતા મોટી સંખ્યામાં ઈન્જેક્શનની માગ વધી છે. કેટલાક બિનકુશળ તબીબો દર્દીને તરત જ રેમડેસિવિર લેવાની સલાહ આપે છે. હોમકેર બિઝનેસ કરતા અક્ષમ તબીબો મોટા પેકેજ માટે દર્દીને આ ઈંજેક્શન આપે છે.
આ મહામારીમાં મેડિકલ પેકેજનો ધંધો ધમધોકાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાંત તબીબોના મતે રેમડેસિવિર દર્દી માટે જોખમનું કારણ બની શકે છે. સરકારે હોમકેર વ્યવસ્થામાં છૂટ આપતા કેટલાક તબીબો આડેધડ ઈંજેક્શનની સલાહ આપે છે. અમદાવાદમાં 4 સ્થળોએ રેમડેસિવિર ઈંજેક્શન મળે છે ત્યાં તમામ સ્થળોએ મોટી લાઈનો લાગી છે.
રેમડેસિવિર ઈંજેક્શન માટે લાઈનો કેમ લાગી?
અમદાવાદમાં 2 કલાક લાઈનમાં ઉભા રહે છે દર્દીના સગા
બિનકુશળ તબીબોને કારણે દંડાઈ રહ્યાં છે દર્દી
કેટલાક દર્દીને જરૂરિયાત ન હોવા છતાં પ્રિસ્ક્રાઈબ થાય છે?
મેડિકલ પેકેજનો ફુલતો ફાલતો ધંધો
મહાનગરમાં મેડિકલ પેકેજવાળા હોમકેર તબીબોની ચાલ?
લોકો નિષ્ણાંતોની સલાહ વગર દંડાઈ રહ્યાં છે?
ઘરે સારી સારવાર કરાવવામાં નુકસાન ન થાય એ જોજો
900 રૂપિયામાં મળતા ઈંજેક્શન માટે લોકોની લાઈન
રાજકોટમાં ફરી સર્જાઇ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઈ છે. મેડિકલ સ્ટોરમાંથી એક જ દિવસમાં ઇન્જેક્શન ગાયબ છે. ACB મેડિકલ, શિવમ મેડિકલમાં ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થયો છે. દેવ-પુષ્પમ મેડિકલ, ગાયત્રી મેડિકલમાં પણ ઇન્જેક્શન પૂર્ણ કર્યા છે. રવિવારના કારણે દવાની એજન્સીઓ બંધ હોવાનું સામે આવ્યું છે. ઇન્જેક્શન નહીં મળવાના કારણે દર્દીઓના પરિવારજનો હેરાન છે. શુક્રવારે 3,500 ઇન્જેક્શન રાજકોટને ફાળવવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, ગુજરાતમાં એકા-એક રેમડેસિવિર ઈન્જેક્શન અને અન્ય દવાઓની માગ વધી રહી છે. જેને લઈ એક ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે. ટાસ્ક ફોર્સ દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરાયું હતું. સંબોધનમાં ફૂડ એન્ડ ડ્રગ્સના કમિશનર ડૉ.એચ.જી.કિશિયાએ કહ્યું કે, દિવસેને દિવસે કોરોના કેસ વધી રહ્યા છે. તેના કારણે દવાઓની માગ પણ વધી છે. આ માટે આરોગ્ય વિભાગ અને ટાસ્ક ફોર્સ તૈયાર છે.
કેટલા લોકોને અપાઇ વેક્સિન ?
ગુજરાતમાં અત્યાર સુધીમાં 64,84,441 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 7,83,043 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 72,72,484 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં શિક્ષણ સંસ્થાઓમાં જ નહીં પરંતુ અન્ય વિસ્તારોમાં પણ કોરોનાએ રફ્તાર પકડી છે. શહેરમાં 29 નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. ગોતા, બોપલ, સાબરમતી, જોધપુર, બોડકદેવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવી ગયા છે. હાલ શહેરમાં કુલ 269 માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ છે. સૌથી વધુ બોડકદેવના વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. બોડકદેવના 101 મકાનોના 360 લોકોને કન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે. બોપલના ગાર્ડન પેરેડાઇઝના 48 ઘર માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા છે.