વીટીવી ન્યૂઝના કોન્કલેવમાં આ વખતે ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ મહેમાન બન્યા હતા. આ કાર્યક્રમમાં તેઓએ ગુજરાતના ખેડૂતો, ખેતી અને પશુપાલનને લગતી સાંપ્રત સમસ્યાઓ અંગે વાત કરી હતી. તેઓએ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ડ્રોન ટેક્નોલોજી વિશે જણાવ્યું કે આ પદ્ધતિથી ખેડૂતોનો સમય અને ખર્ચમાં બચાવ થાય છે. ડ્રોનથી પાંચ વખત છટકાવમાં સરકાર સહાય કરશે. આ માટે સરકારે 35 કરોડની ફાળવણી કરી છે.
'અઠવાડિયામાં તમામ પશુઓ સાજા થઇ જાય તેવી આશા'
તો ગુજરાતમાં વકરી રહેલા લમ્પી વાયરસને પગલે જણાવ્યું કે ગુજરાતમાં 19 હજાર પશુઓ લમ્પી રોગગ્રસ્ત છે. તમામ પશુઓ અઠવાડિયામાં સાજા થઇ જવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. લમ્પીગ્રસ્ત પશુનુ દૂધ પી શકાય કે નહી તે અંગે પણ તેઓએ જણાવ્યુ કે લમ્પીગ્રસ્ત પશુનું દૂધ ઉકાળીને પી શકાય. આ રોગ મામલે રાજ્ય સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે. તેમ પણ જણાવ્યું હતું.
'પ્રાકૃતિક ખેતી કેટલી લાભકારી ? '
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે કેટલી લાભકારી છે તે વિશે વાત કરતા જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી ખેડૂત અને ગ્રાહક બન્નેને ફાયદો થાય છે જ્યારે રસાયણિક ખાતર અને દવાથી રોગ થાય છે. ગુજરાતમાં ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લો જાહેર થયો છે. ગુજરાતમાં એફપીઓથી પ્રાકૃતિક પેદાશનું વેચાણ થાય છે. રાજ્ય સરકાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે કટિબદ્ધ છે.
તો આ સિવાય પણ ખેડૂતોને વીજળી તથા સરવેની કામગીરી બાબતે કૃષિમંત્રીએ શું કહ્યું આવો જાણીએ આ કોન્કલેવમાં..