SAARC ના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભારતે પાકિસ્તાન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે જ સમયે, વિદેશ પ્રધાન એસ. જયશંકરે એમ પણ કહ્યું હતું કે SAARC સામે હાલમાં ઉપસ્થિત સૌથી મોટા 3 પડકારોમાં સીમા પારથી આતંકવાદ, વેપાર અવરોધ, અને કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ છે જેને દૂર કરવા જોઈએ.
SAARC ના વિદેશ મંત્રીઓની યોજાઇ વર્ચ્યુઅલ બેઠક
વિદેશ મંત્રીએ SAARC સામે ના ત્રણ પડકારોનો કર્યો ઉલ્લેખ
પાકિસ્તાનની સામે ઉઠાવ્યો સીમા પારના આતંકવાદનો મુદ્દો
કોરોના સંકટની વચ્ચે, ગુરુવારે સાર્કના વિદેશ પ્રધાનો ની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી, જેમાં વિદેશ પ્રધાન જયશંકરે સરહદ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો, અને SAARC સામે ત્રણ મોટા પડકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Cross-border terrorism, blocking connectivity and obstructing trade are three key challenges that SAARC must overcome.
Only then will we see enduring peace, prosperity and security in our South Asia region.
નેબરહુડ ફર્સ્ટની નીતિ પ્રત્યે ભારત પ્રતિબદ્ધ : વિદેશમંત્રી
વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કર્યું છે કે આજે SAARC વિદેશ પ્રધાનો ની અનૌપચારિક બેઠકને સંબોધિત કરી હતી. ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને દક્ષિણ એશિયાની એકબદ્ધતા, સલામતી અને સમૃધ્ધિ નો તેમ ઉલ્લેખ કર્યો હતો.
Recognise the progress on South Asian satellite and extension of National Knowledge Network.
બેઠકમાં ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે ભારત આતંકવાદ અને તેના પ્રાયોજકો સામે લડવા માટે વધુ સામૂહિક પ્રયાસો કરવાનું આહ્વાન કરે છે. અફઘાન શાંતિ પ્રક્રિયા માટે ભારતનું સમર્થન એ વાતની પુષ્ટિ કરે છે કે તે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરે છે અને લોકશાહી પ્રગતિને પણ સંરક્ષે છે. આ બેઠકમાં ભારત, ચીન, પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના વિદેશ પ્રધાનો હાજર રહ્યા હતા.
Addressed the #SAARC Foreign Ministers Informal Meeting today. Reaffirmed India’s commitment to Neighbourhood First policy and towards building a connected, integrated, secure and prosperous South Asia. pic.twitter.com/z0Q9AmRxeP
આ અગાઉ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ SAARC ની બેઠકમાં પોતાના ભાષણમાં કાશ્મીર નો ઉલ્લેખ કર્યો ન હતો. પાકિસ્તાનના વિદેશ પ્રધાને પોતાના ભાષણમાં યુએન ચાર્ટર ના અમલીકરણ અને ઠરાવો સહિતના ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે તેમણે કાશ્મીર નો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.
આ અગાઉ SAARC બેઠક દરમિયાન, પાકિસ્તાન તરફથી કોઈ નકશો બેકગ્રાઉન્ડમાં મૂકવામાં આવ્યો ન હતો.
શું કહ્યું વિદેશમંત્રીએ તાજેતરમાં ભારત ચીન સીમા વિવાદ વિશે?
ભારતીય વિદેશમંત્રીએ આ સાથે જ ભારત અને ચીન ની હાલની સીમા પરની પરિસ્થિતિ વિશે બોલતા કહ્યું હતું કે સરહદ પર હાલમાં ખૂબ જ અભૂતપૂર્વ પરિસ્થિતિઓ છે, ઉલ્લેખનીય છે કે એસ. જયશંકરે તાજેતરમાં રશિયામાં ચીન ના વિદેશપ્રધાન સાથે વાતચીત કરી હતી, જે બાદ આ તેમનું પહેલું નિવેદન છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે બંને દેશોએ મળીને વાતચીત કરીને આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે.