કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જ્યારે તેઓએ જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યો ત્યારે તેમના મનમાં ડર હતો. ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું કે મને ડર હતો કે જ્યારે હું આ બિલ રાજ્યસભામાં રજૂ કરીશ ત્યારે રાજ્યસભા કેવી રીતે ચાલશે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જ્યારે તેઓએ જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યો ત્યારે તેમના મનમાં ડર હતો. ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું કે મને ડર હતો કે જ્યારે હું આ બિલ રાજ્યસભામાં રજૂ કરીશ ત્યારે રાજ્યસભા કેવી રીતે ચાલશે?
જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે મેં બિલ રજૂ કર્યું ત્યારે મને ડર હતો કે જ્યારે હું આ બિલ રાજ્યસભામાં રજૂ કરીશ ત્યારે રાજ્યસભા કેવી રીતે ચાલશે? ચેન્નાઈમાં રાજ્યસભાના સભાપતિ વૈંકૈયા નાયડૂના બુક લોન્ચ સમયે અમિત શાહે જણાવ્યું કે આંધ્રના વિભાજનનું દ્રશ્ય આજે પણ દેશની જનતાની સામે છે. મને શંકા હતી કે આ દ્રશ્યનો હું ભાગીદાર તો નહીં બનું ને? આ ડર સાથે હું રાજ્યસભામાં ઊભો થયો. વૈંકૈયાજીની કુશળતાનું જ પરિણામ છે કે વિપક્ષના મિત્રોને સાંભળતા આ બિલને ડિવિઝન સુધી ક્યાંય કોઈ એવી ઘટના નથી બની જેનાથી દેશની જનતાને લાગે કે સંસદની ગરિમા જળવાઈ નથી.
આ પહેલાં અમિત શાહે કહ્યું કે રાજ્યસભામાં અમારો પૂર્ણ બહુમત નથી પણ મેં નક્કી કર્યું હતું કે બિલ પહેલાં અમે રાજ્યસભામાં લાવીશું અને પછી તેને લોકસભામાં લઈ જઈશું. અમિત શાહે કહ્યું કે સાંસદ હોવાના કારણે તેમને વિશ્વાસ છે કે આર્ટિકલ 370ને જમ્મુ કાશ્મીરમાંથી ઘણા સમય પહેલાં હટાવી દેવાની જરૂર હતી. ગૃહમંત્રી હોવાના કારણે તેમને ખ્યાલ જ હતો કે આ ધારા હટાવવાના સંભવિત પરિણામો શું હોઈ શકે છે. અમિત શાહે કહ્યું તે તેમને વિશ્વાસ છે કે હવે કાશ્મીરમાંથી આતંકવાદ ખતમ થશે અને કાશ્મીર વિકાસની દિશામાં આગળ વધશે.
આ સમયે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વિધિનું વિધાન છે. બાલ વૈંકૈયા નાયડૂએ 370ની વિરુદ્ધ આંદોલન કર્યું હતું અને આર્ટિકલ 370ને હટાવવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે વૈંકૈયાજી રાજ્યસભાના ચેરમેન હોઈ તેની અધ્યક્ષતા કરી રહ્યા હતા. અમિત શાહે એક ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે એક વાર એક કમ્યુનિસ્ટ પ્રોફેસરે વૈંકૈયા નાયડૂને પૂછ્યું કે તમે કાશ્મીર ક્યારેય જોયું છે? કશ્મીર નથી જોયું તો આંદોલન કેમ કરો છો? વૈંકૈયાએ જવાબ આપ્યો કે એક આંખને બીજી આંખને જોઈ શકતી નથી. પણ, એક આંખમાં દર્દ થાય છે તો અન્ય આંખને પણ દર્દ અનુભવાય છે.