સરદાર પટેલનો અમુલ સાથે લાંબો સંબંધ રહ્યો છે.સામાજીક જીવનમા આંદોલન માટે અમૂલથી મોટું કોઈ ઉદાહરણ નથી.36 લાખ પરિવારને રોજગારી કારણ અમુલ થકી શક્ય બન્યું.
સામાજિક એકતાનું મોટું ઉદાહરણ અમૂલ
200 લીટરથી શરૂઆત હવે ત્રણ મિલિયન સુધી
સરદાર પટેલનો અમૂલ સાથે લાંબો સંબંધ
અમિત શાહ અત્યારે ગુજરાતના પ્રવાસે છે. આજે સરદાર પટેલ જન્મજયંતિના અવસરે કેવડિયામાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અમૂલ ડેરીના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. અમૂલ ડેરીએ પોતાના 75 વર્ષ પુરા કર્યા છે. જેના પગલેની ઉજવણી થઈ રહી છે. આ કાર્યક્રમમાં અમિત શાહે ગુજરાતના દૂધ ઉત્પાદકોનો આભાર માન્યો હતો. આ પ્રંસગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ હાજર હતા. અમિત શાહે આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલનો અમુલ સાથે ગાઢ સંબંધ રહ્યો છે. 200 લિટર દૂધ એકત્ર કરવાની શરુઆતથી લઈને આજે ત્રણ મિલિયન દૂધ સુધી અમુલને પહોંચાડનારા નાનામાં નાની ગરીબ મહિલાથી લઇને મોટા પશુપાલકોનો આભાર માન્યો હતો. અમે નાના છીએ પરંતુ સંખ્યા મોટી છે. અને જ્યારે સંખ્યા એકઠી થાય ત્યારે શું થઈ શકે એ આજે અમૂલે કરી બતાવ્યું છે.
આંદોલનથી શોષણ અટક્યું ;અમૂલ વટવૃક્ષ બન્યું ;શાહ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલ હોલનુ ઉદ્ઘાતના કરતા કહ્યું કે, સરદાર પટેલનો અમુલ સાથે લાંબો સંબંધ રહ્યો છે.સામાજીક જીવનમા આંદોલન માટે અમૂલથી મોટું કોઈ ઉદાહરણ નથી.36 લાખ પરિવારને રોજગારી કારણ અમુલ થકી શક્ય બન્યું છે.આણંદ જીલ્લામાં ખાનગી ડેરી સામે ત્યારે આંદોલન થયુ હતું.આંદોલનથી શોષણ અટક્યુ અને આ અમુલ વટવૃક્ષ બન્યુ છે.
200 લીટર દૂધ ઉત્પાદન કરતી અમુલ આજે 53 હજાર કરોડ ક્રોસ કરી ચૂક્યું છે.8 જિલ્લા સ્તરની ડેરી છે અને 87 પ્લાન્ટ છે.સહકારી આંદોલનમાં પરિવર્તન કરવાની જરૂર હતી.સહકારી મંત્રાલય બનાવ્યું તે સહકાર સિદ્ધિ સંકલ્પ થકી બની રહ્યું છે.
બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના કુંડળ સ્વામિનારાયણ મદિર માં દર વર્ષે દિવાળી ઉપર સ્વામિનારાયણ સત્સંગ શિબિર યોજાતી હોઈ છે . જેમાં માનવ જીવનના અનોખા ઘડતર માટે સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા પ્રતિવર્ષ શિબિરનું આયોજન કરવામાં આવે છે તે પરંપરા મુજબ આ વર્ષે પણ તા.2 નવેમ્બર થી 9 નવેમ્બર 2021 સુધી 30 મો શિબિરનું આયોજન કરેલ છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અમિત શાહ તેમજ જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદહસ્તે કરવામાં આવશે. જેમાં પ્રસિદ્ધ બોલીવુડ સિંગર દિલેર મહેંદી હાજરી આપવાના છે . આ 30મી શિબિરમાં હજારો હરિભક્તો લાભ લઇ શકે તે માટે વિશિષ્ટ તૈયારીઓ કરી આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેમજ ભગવાન સ્વામિનારાયણની વિચરણ ભૂમિ કુંડળધામમાં આ ઉદ્ઘાટન પ્રસંગે સામાજીક સંસ્થાઓને સન્માન સાથે દાન આપવામાં આવશે તેમજ સમાજના વિશિષ્ટ વ્યક્તિઓને પણ સન્માન સાથે પુરસ્કાર કરાશે . તેમજ 36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિનું સ્થાપન અમિત શાહ તથા જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદહસ્તે થશે