વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે PanIIT USA દ્વારા આયોજીત IIT ગ્લોબલ સમિટને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અપાર સંભાવનાઓ ધરાવતો દેશ છે અને કોરોના મહમારી દરમિયાન પણ અહીં રેકોર્ડ સ્તરનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આનો અર્થ એ થયો કે વિશ્વના દેશો ભારતને વિશ્વસનીય સાથી માને છે.
IIT ગ્લોબલ સમિટમાં પીએમ મોદીએ કર્યું સંબોધન
IIT ને એક મજબૂત બ્રાન્ડ બનાવવાનો સરકારનો પ્રયાસ : વડાપ્રધાન
ભારતમાંઅ આજે ઘણા સ્પેસ સ્ટાર્ટ અપ આવી રહ્યા છે : PM મોદી
પીએમ મોદી એ તેમના સંબોધનમાં IIT ના પ્રતિભાશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પ્રશંસા કરતા કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તમારું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આજે તમારા સંશોધનના લીધે વિશ્વનું ભવિષ્ય ઉજ્જવળ છે. તેમણે કહ્યું કે ભારતમાં IIT ની સંખ્યા સતત વધી રહી છે અને તેને વધુ મજબૂત બ્રાન્ડ બનાવવાનો અમારો પ્રયાસ છે.
સરકાર સતત રિફોર્મ્સ માટે કામ કરી રહી છે : વડાપ્રધાન મોદી
પીએમ મોદી એ કહ્યું કે અગાઉ જ્યારે એરોસ્પેસ એન્જિનિયરો IIT માંથી બહાર નીકળતા હતા, ત્યારે તેમના માટે રોજગારની કોઈ વધુ સારી તકો ઉપલબ્ધ નહોતી. પરંતુ હવે અંતરિક્ષ ક્ષેત્રે થયેલા ઐતિહાસિક રિફોર્મ્સ ને કારણે દરરોજ ઘણા સ્પેસ સ્ટાર્ટ અપ ભારત આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતની અમારી સરકાર સતત સુધારણા, પરિવર્તન અને કામગીરીના સિદ્ધાંતો પર કામ કરી રહી છે. અમારો પ્રયાસ છે કે સમાજનો કોઈ પણ વર્ગ સુધારણાની આ લહેરથી વંચિત ન રહી જાય.
કોરોના પછીનો સમય પુનર્વિચાર અને પુરનિર્માણનો : પીએમ મોદી
પીએમ મોદી એ IIT ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ તેમના વિચારો અને અનુભવો શેર કરવા આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે તમારે તમારા જુનિયરને કારકિર્દીની પસંદગી કરવામાં મદદ કરવી જોઈએ જેથી તેઓ પણ પોતાનું નામ અને દેશનું નામ રોશન કરી શકે. તેમણે કહ્યું કે કોરોના પછીનો સમય પુનર્વિચાર અને પુનર્નિર્માણનો હશે.
ઉલ્લેખનીય છે કે PanIIT USA 20 વર્ષથી વધુ જૂનું સંગઠન છે. 2003 થી, આ પ્રકારનું સંમેલન દર વર્ષે આયોજિત કરવામાં આવે છે અને ઉદ્યોગ, શિક્ષણ અને સરકાર સહિત વિવિધ ક્ષેત્રના વક્તાઓને તેમના મંતવ્યો શેર કરવા આમંત્રણ આપવામાં આવે છે. PMO અનુસાર, PanIIT USA ને IIT ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક સ્વયંસેવક ટીમ ચલાવે છે.