રાજકોટમાં રેલવે સ્ટેશન પર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. રેલવે સ્ટેશન પર ન તો થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે કે ન તો મુસાફરોનું કોઈ ચેકિંગ થઈ રહ્યું છે. કર્મચારીઓને માત્ર માસ્ક અપાયા છે. અને સેનિટાઈઝરની વ્યવસ્થા કરાઈ છે. જોકે થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થાનો અભાવ છે. રાજકોટમાં ગઈકાલે જ રેલવે સ્ટેશન પરથી કોરોના પોઝિટિવ કેસ મળ્યો હતો. તેમ છતાં તંત્ર બેદરકાર હોવાનું સામે આવ્યું છે.