ત્રણ વર્ષ બાદ ફરી એક વાર જેટ એરવેઝ હવાઈ સેવાઓ શરૂ કરવા જઈ રહી છે.
જેટ એરવેઝ ફરી શરૂ કરશે હવાઈ સેવાઓ
વર્ષ 2019માં થઈ હતી એરલાઈન બંધ
જેટ એરવેઝમાં શરૂ થાય છે સ્ટાફ ભરતી
જેટ એરવેઝ વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિકથી તેની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરશે. Jalan Kalrock Consortiumએ આજે આ માહિતી આપી છે. કેપ્ટન સુધીર ગૌર જેટ એરવેઝના એક્ટિંગ CEO રહેશે.
જેટ એરવેઝ ફરી શરૂ કરશે હવાઈ સેવાઓ
Consortium દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાઉંડેડ કેરિયરને ફરી શરૂ કરવાની પ્રક્રિયા હાલના એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC) સાથે ટ્રેક પર છે, જે પહેલાથી જ રી-વેલિડેશન માટે પ્રક્રિયામાં છે. Consortium સંબંધિત ઓથોરિટીસ અને એરપોર્ટ કોઓર્ડિનેટરો સાથે મળીને સ્લોટ ફાળવણી, જરૂરી એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાઈટ પાર્કિંગ પર કામ કરી રહ્યું છે.
વર્ષ 2019માં થઈ હતી એરલાઈન બંધ
જેટ એરવેઝ પૂર્ણ ત્રણ વર્ષ પછી પોતાની સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહી છે. એરલાઈન એપ્રિલ 2019માં બંધ થઈ ગઈ હતી. એરલાઇનને ફરી શરૂ કરવા માટે Consortiumએ Kalrock Capita અને Murari Lal Jalan સંગઠની ઓક્ટોબર 2020 માં બોલી જીતી હતી. 22 જૂનના રોજ, નેશનલ કંપનીઝ લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા Kalrock-Jalanના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી. NCLTની મુંબઈ બેન્ચે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને ઉડ્ડયન મંત્રાલયને જેટ એરવેઝને સ્લોટ ફાળવવા માટે જૂન 2022થી 90 દિવસનો સમય આપ્યો છે.
જેટ એરવેઝમાં શરૂ થાય છે સ્ટાફ ભરતી
કેપ્ટન ગૌરે કહ્યું કે જેટ એરવેઝ પહેલાથી જ 150થી વધુ ફુલ ટાઈમ કર્મચારીઓની ભરતી કરી ચૂકી છે. નાણાકીય વર્ષ 2022 સુધીમાં તમામ કેટેગરીમાં 1000થી વધુ કર્મચારીઓની ભરતી શરૂ કરવામાં આવશે. વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બાદ જેટ એરવેઝ 2.0, વર્ષ 2022ના ત્રીજા અને ચોથા ત્રિમાસિકથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. જેટ એરવેઝ વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિકમાં નવી દિલ્હીથી મુંબઈની પ્રથમ ફ્લાઇટ શરૂ કરશે, એરલાઇન 3 વર્ષમાં 50થી વધુ એરક્રાફ્ટ અને 5 વર્ષમાં 100 થી વધુ એરક્રાફ્ટ કરવાનું લક્ષ્ય ધરાવે છે.